________________
માણસમાં છુપાયેલા પશુતત્ત્વનો બલિ હોય ! આ રાંક પશુઓના બલિથી શું વળે ! ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ, મત્સર વગેરે કષાયોના ભાવો માણસને પશુ બનાવી દે છે : તેને યજ્ઞ કરીને હોમવા જોઈએ
યજ્ઞ કરનાર નિર્મોહી, નિરહંકારી, શાંત ને સંયમી બનવો જોઈએ. પશુને હોમવાથી કંઈ ન વળે ! સહુને જીવ વહાલો હોય છે, તેમ આ પશુઓને પણ હોય ! બીજા જીવોનો વધ કરવાથી કદી પોતાનું ભલું ન થાય; ઊલટું એ તો પાપ છે. બીજાનાં લોહીથી પોતાનાં પાપ કદી ન ધોવાય. પોતે કરેલાં કર્મ પોતે જ ભોગવવાં જોઈએ.
શરદ ઋતુ આવે છે, રસ્તાઓ પ્રયાણ માટે અનુકૂળ થાય છે, ને ક્ષત્રિયો હથિયાર-પડિયાર બાંધી, જૂથ જમાવી, જુદ્ધ નીકળી પડે છે; જર માટે, જમીન માટે, સ્ત્રી માટે એવાં યુદ્ધ જમાવે છે, કે લોહીની નદીઓ વહે છે ! એવાં યુદ્ધોમાં માણસ માણસ રહેતો નથી ! કસાઈની જેમ એ અન્યને મારે છે-કાપે છે ! ને પોતે પણ ચોમાસાના ફૂદાની જેમ મરે છે.
ક્ષત્રિયો કહે છે કે લડવાનો અમારો ધર્મ ! લડતાં મરીશું તો સ્વર્ગ મળશે; જીતીશું તો શત્રુની સંપત્તિ, શત્રુનું રાજ ને શત્રુદેશની સુંદર સ્ત્રીઓ મળશે !
વર્ધમાન વિચારે છે :
અરે ! આ લોકો એક જ વાત વિચારે કે જેવો આપણો જીવ છે, તેવો સહુનો જીવ છે; જેમ આપણને જીવવું ગમે છે, તેમ* સહુને જીવવું ગમે છે, તો દુનિયાનો બેડો પાર થઈ જાય. આપણને કોઈ મારે-કાપે, આપણું કોઈ જબરજસ્તીથી પડાવી લે એ જેમ આપણને ગમતું નથી, તેમ કોઈને પણ ન ગમે ! આ લડાઈ તો સબળો નબળાને ખાય તેવી છે. નબળો સબળો થાય એટલે એ બીજા નબળાને ખાય, તેવી તેમાં રચના છે. મોટું માછલું નાનાને ખાય-તેવો આ ઘાટ છે ! આમાં દુનિયામાં શાંતિ ક્યાંથી જન્મે ?
બધે વર્ણના વાડા પથરાયા છે. ક્ષત્રિય હુંકાર કરીને કહે છે કે રાજ કરવાના અધિકારી અમે ! તમે બ્રાહ્મણ, વૈશ્ય ને શૂદ્રને રાજ સાથે કંઈ લાગેવળગે નહિ ! * सव्ये जीवा वि इच्छन्ति, जीविठं नु मरिज्जिउं ।
બધા જીવોને જીવવું વહાલું છે. મોત કોઈને વહાલું નથી. – સૂત્રકૃતાંગ જેવો આપણો જીવ એવો બીજાનો % ૩૧
-
- -
-
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org