________________
હૈયાઉકલતવાળા વર્ધમાન વિચારે છે કે જીવન કેવું ક્ષણિક છે ! ને જીવનમાં સુખ ને વિષાદ કેવાં એક જ ઢાલની બે બાજુ જેવાં છે !
સરખી હેડીના મિત્રો સાગરની માછલીને પકડવા ગળકાંટા લઈને ઘૂમે છે. ક્ષત્રિયપુત્રો પા૨કાને પીડા પહોંચાડનારી રમતોના શોખીન છે. વર્ધમાનને એમાં રસ નથી ! એ નિર્દોષ રમતોના રસિયા છે.
માછલી પકડનારા ઢગલાબંધ મત્સ્ય પકડે છે; પણ વધુ મત્સ્ય મેળવવાનો લોભ એમને ઊંડા પાણીમાં ખેંચી જાય છે. ત્યાં એમના જેવા જ માંસશોખીન મગરમચ્છ ઘૂમે છે ! મગરમચ્છના મોંમાં એમનો પગ સરે છે, ને ચીસાચીસ કરતા એ પાછા ભાગે છે !
વર્ધમાન વિચારે છે : વાહ રે જગત ! આપણે બીજાને આપણા ફંદામાં ફસાવવા માગીએ છીએ, પણ આપણે પોતે ફસાવવા તૈયાર નથી ! બીજાને દુઃખ આપવું આપણને ગમે છે, પણ એ દુઃખનો પડછાયો પણ આપણને ગમતો નથી. ખુદ પોતાના મન સાથે જ આ કેવી છેતરપિંડી !
નગરમાં મોટા મોટા યજ્ઞો ચાલે છે, મોટા મોટા હોમહવન ને મોટી મોટી દાનદક્ષિણાઓ થાય છે. ધુમાડાથી ગામ ઢંકાઈ જાય છે. મંત્રોચ્ચારથી દિશાઓ બહેરી થઈ જાય છે ! સહુ કહે છે કે આવા યજ્ઞ કર્યો સ્વર્ગ મળે !
યજ્ઞમાં બલિ આપ્ટે સ્વર્ગ મળે.
દેવોનું મોં અગ્નિ છે. અગ્નિ વાટે દેવો બલિ લે છે, ને ખુશ થઈ યજ્ઞ કરનારને મનવાંછિત ફળ આપે છે !
બિલ માટે ઘોડાં, બકરાં, ઘેટાં, ગાય, પાડાનો સુમાર નથી. રબારીના દશ વાડા ભરાય એટલા જીવ અહીં છે. એ સહુને મારીને અગ્નિમાં હોમવાના ! જેમ વધુ જીવ હોમાય એમ વધુ પુણ્ય !
આવા યજ્ઞો સહુ દ્વિજો કરી શકે છે. રાજા કરે છે, મહારાજા કરે છે; શ્રીમંત કરે છે, જેની પાસે ધન હોય તે સહુ કરે છે.
વર્ધમાન તો વિવેકસારવાળા છે. કોઠાવિદ્યાવાળા છે. ભણેલા તો ઘણી વાર ભૂલે, પણ એ તો ગણેલા પણ છે. એ વિચારે છે :
યજ્ઞ દરેકે કરવો જોઈએ. દરેકે બલિ ચઢાવવા જોઈએ - પણ એ બલિ તો
૩૦ ૫ ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org