________________
પક્ષી, નદી, પહાડ – બધાં સ્વજનસમાં ભાસે છે. એમને વેલી પરથી ફૂલ ચૂંટવું પણ ગમતું નથી ! એમને ફૂલ કેવળ ફૂલ નથી લાગતાં, મૂંગા આત્માઓ ભાસે છે.
સહુ જોડીદારો તીર સાંધે છે, ત્યારે વર્ધમાન વિચારે છે :
કેવું સુંદર આ જગત છે ! પોતપોતાની રીતે સહુ જીવનનું સુખ માણી રહ્યાં છે. એ સુખી સૃષ્ટિમાં હત્યારું તીર* છોડી ઉલ્કાપાત કાં જગાવવો ? જીવ તો સહુનો સરખો છે ! જીવવું આપણને ગમે છે, તો એમને પણ ગમતું જ હોય. સુખ આપણને ગમતું હોય, તો એમને પણ ગમે. મરવું આપણને ગમતું ન હોય તો, એમને પણ ન જ ગમે ! જીવન-મૃત્યુ ને સુખ-શાંતિની બાબતોમાં પશુ ને માનવી – અરે ! આ વૃક્ષ, આ કીટક, આ ભ્રમર કે આ કીડી – સહુ સમાન ! તો ભલે એ જીવે-સુખે જીવે ! આપણું સુખ એવું ન હોવું જોઈએ, જે બીજાના સુખને બાધ કરે.
જગતને માપવાનો વર્ધમાનનો આ મોટોમાં મોટો ગજ !
ખેતરો ને ઝરણાં પર સંધ્યા છવાય છે ! ગગનના ઓવારે સારસોનાં ટોળાં ગાતાં ગાતાં ચાલ્યાં જાય છે. ક્ષત્રિય રાજપુત્રો એને તીરથી વિધી આનંદ માણે છે. વર્ધમાન કહે છે :
“જે કોઈને જીવન આપી ન શકે, એ કોઈનું જીવન લઈ પણ ન શકે. હાથીને મારવામાં બહાદુરી નથી; એક કીડીને જીવતદાન આપવામાં શાબાશી છે. મરણ તો પ્રકૃતિ જ છે જીવમાત્રની ! પછી મારવામાં મર્દાનગી શી !'
વૈશાલીના રાજસરોવર પર વર્ધમાન ઘૂમે છે, પ્રભાતી રંગો ને સંધ્યાના આસમાની પડદાની ઝાકમઝોળ નીરખે છે. સરોવરમાં માછલી રમે છે ! છે એને કોઈ ઉપાધિ, આધિ કે વ્યાધિ !
કેવો જીવનનો આનંદ ! ત્યાં તો આકાશના અંતરાલમાં ઊડતો બગલો આવી એને ઉપાડી જાય છે. રે ! જીવનનો કેવો વિષાદ !
* एवं खु नाणिणो सारं, जं न हिंसई किंचण ।
જ્ઞાની થવાનો સાર એ છે, કે એ કોઈને ન હણે. – સૂત્રકૃતાંગ જેવો આપણો જીવ એવો બીજાનો . ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org