________________
હેઠ ! દિશાઓ તો અનેક છે, પણ પૂર્વ દિશા કંઈ થવી છે ! સૂરજને તો એ જ જન્મ આપી શકે ને !
યોગ્ય સમયે કુમાર વર્ધમાનને નિશાળે બેસાડ્યા. વાજતેગાજતે હાથીએ ચઢી, કુંવર લેખશાળામાં આવ્યા, ઉપાધ્યાય પાસે ભણવા બેઠા. ઉપાધ્યાય કહે : ‘માતૃદેવો ભવ !’
અરે ! વર્ધમાન તો માના પેટમાંથી જ આ પાઠ શીખ્યા હતા. આમાં નવું શું શીખવાનું હતું !
આ વખતે એક વિદ્યા ને વયથી વૃદ્ધ બ્રાહ્મણ ત્યાં આવ્યો. એ કુમાર વર્ધમાનને પ્રશ્ન પૂછવા માંડ્યો.
વર્ધમાને પણ એ વૃદ્ધ બ્રાહ્મણના પ્રશ્નોના કડકડાટ જવાબ આપવા માંડ્યા. સાચા અને સહી જવાબ.
સવાલ કંઈ સામાન્ય નહોતા.
વ્યાકરણ જેવા શાસ્ત્રના અઘરા અઘરા પ્રશ્નો હતા, પણ કુમાર વર્ધમાને તો સાવ સરળ રીતે એના જવાબ આપ્યા ! એ જવાબોમાં જ આખું એક વ્યાકરણ સમાઈ જતું હતું. જેની પાસે કુદરતે આપેલો ભાષાનો વૈભવ હોય, વ્યાકરણ એની પાસે હાથ જોડતું જ ખડું હોય ને ! ભાષા આત્મા છે. વ્યાકરણ તો એને જાળવનારું ખોળિયું છે.
લેખશાળાનો ઉપાધ્યાય શરમિંદો પડી ગયો. એને લાગ્યું કે આ જ્ઞાનમૂર્તિને જ્ઞાન આપવાનો યત્ન કરવો, એ પોતાની જાતની પોતે મશ્કરી કરવા બરોબર છે, સૂરજને બતાવવા નાનું કોડિયું ધરવા બરોબર છે. એણે એ પ્રશ્નોત્તરો ૫૨થી જ એક આખું વ્યાકરણ રચી નાખ્યું ! એનું નામ રાખ્યું ‘ઇન્દ્ર વ્યાકરણ !'
લોકો કહેતા કે એ બ્રાહ્મણ બ્રાહ્મણ નહોતો, દેવરાજ ઇંદ્ર પોતે હતા. જે હોય તે, વાત એટલી કે એ ઉંમરે પણ વર્ધમાન એટલા જ્ઞાની હતા, કે એમની પાસે ભલભલા ઝાંખા પડી જતા.
વર્ધમાન નિશાળેથી પાછા ફર્યા ! એમની હૈયાઉકલત આગળ બધી નિશાળો નિરર્થક નીવડી !
વર્ધમાન તો કોઠાવિદ્યાવાળા હતા.
Jain Education International
For Private & Personal Use Only
૨૬ ૭ ભગવાન મહાવીર
www.jainelibrary.org