________________
ફૂલ ૫૨ ભ્રમરને મધુ ચૂસતો જોતા, ને વિચારતા :
“બસ, માણસે સંસા૨માં આ રીતે મધપૂડો રચવો જોઈએ. ફૂલને ઈજા ન પહોંચે, ને ભ્રમર ભૂખ્યો ન રહે !”
આવડો નાનો બાળક આટલા મોટા વિચાર કરે, એની બધાને નવાઈ લાગતી. પણ સંસારના અનેક દીપોને ઝળહળતા કરનારી જ્યોત હંમેશાં સ્વરૂપમાં તો નાની જ હોય છે ને !
ગુરુ કહે : ‘વાહ વાહ ! વિદ્યા ભણવાનો ઉદ્દેશ તો આખરે સારા-નરસાનો વિવેક જ છે ને ! જેની દરેક પળ વિચારની, વિવેકની, ઉત્સાહની હોય, એને નિશાળનાં બંધન નકામાં છે ! વિદ્યા ગમે તેટલી મોટી હોય, પણ હૈયાઉકલતથી હેઠ છે.’
લેખશાળામાં ૨ ૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org