________________
લેખશાળામાં
કુમા૨ વર્ધમાન ચાંદીને ઘૂઘરે ને સોનાવાટકડીએ રમે છે. આમ રમતાંજમતાં વર્ધમાન મોટા થયા. મુખ તો પૂનમના ચાંદ જેવું ! કપાળ અષ્ટમીના ચંદ્ર જેવું. વાળ અમાવાસ્યાની રાત જેવા. આંખો આકાશના તારલિયા જેવી. સોનેરી ગાલ પર ખંજન રમતાં, ને આંખમાં અંજન ઊભરાતાં.
9
ત્રિશલાનો નાનો કુંવર જાણે સહુનાં હૈયાંનો હાર ! એવું મીઠું મીઠું મલકે, કે આપોઆપ મનડું તેના ભણી ખેંચાય ! વર્ધમાન કહીને બોલાવતાં સહુ અડધાં અડધાં થઈ જાય !
વર્ધમાન સરખેસરખા મિત્રોમાંય આગેવાન બન્યો. સાત વર્ષે તો એણે સાપને ઉપાડીને દૂર ફેંકી દીધો. પડકાર કર્યો કે બીક કેવી ! જે બીએ એને સહુ બિવડાવે ! આઠમે વર્ષે તો કસોટી કરવા આવેલા એક દૈવી શક્તિ ધરાવનારા અઘોરીને તોબા પોકરાવી. સહુને કહ્યું કે અધોરી, દેવ કે શેતાન માણસને કોઈ પહોંચી શકે નહિ ! માણસમાં માણસાઈ હોય તો દેવ પણ દાસ થઈ રહે ! એ અઘોરી એને મહાવીર નામ આપી ગયો. લોકો કહેતા કે એ સાપ નહોતો, અઘોરી એ અઘોરી નહોતો. પુણ્યવાન ને બળવાન લોકોના બળની પરીક્ષા કરવા આ રીતે દેવતાઓ પૃથ્વી પર આવે છે !
વર્ધમાન માતાપિતાના પૂજારી છે. માતાપિતા પણ પુત્રને હથેળીમાં રાખે છે. એમાં પણ માતા ત્રિશલાદેવીનો પ્રેમ કંઈ થવો છે ! સહુ કહે કે સ્ત્રીઓ તો સંસારમાં ઘણી થઈ ને ઘણી થશે, પણ મહાવીરને જન્મ આપનારી ત્રિશલાદેવીથી
લેખશાળામાં આ ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org