________________
લઈ શક્યું છે કે આજે લઈ શકે ! પણ સ્વર્ગના સ્વામી પાસે અનેક યુક્તિઓ હતી. એમણે માતાને નીંદર આવી જાય એવો તાકડો રચ્યો. માની આંખ નિદ્રાભારથી ઢળી, કે બાળકને ગોદમાંથી લઈ લીધો.
હવે ભારે રંગ જામ્યો ! દેવરાજ ઇન્દ્ર જાણે એકના પાંચ થઈ ગયા. બધો લહાવો એને એકલાને લેવો'તો.
જન્મ વખતે ત્યાં ૫૬ દિક્કુમારિકાઓ આવી હતી, તો જન્મોત્સવ માટે અહીં ૬૪ દેવરાજ ઇંદ્રો હાજર થયા.
બાળકને અભિષેક કરવા પવિત્ર જળની ધારા કરવા માંડી.
જળધારા તે કેવી ? જાણે જોગના ધોધ જેવી. આજના નાયગરાના ધોધ જેવી. ઇંદ્રરાજને વિમાસણ થઈ આવી કે આ બાળપુષ્પ આ જળપ્રપાત જેવી જળધારા શેં ખમશે ?
ઇંદ્રરાજની શંકાને પ્રત્યુત્તર આપતા હોય તેમ બાળારાજાએ પગનો અંગૂઠો પર્વત પર ચાંપ્યો ! પૃથ્વી કંપી ઊઠી. શિખરો ધ્રૂજી રહ્યાં !
દેવ એકદમ નમ્ર થઈને ચરણમાં ઢળી પડ્યા, બોલ્યા : “અમે સામાન્ય દેવોએ મહામાનવનો મહિમા ન જાણ્યો ! માફ કરો !”
કવિ તો કંઈ કંઈ કલ્પનાના ફુવારા ઉડાડે છે. આપણે તો આટલેથી જ સંતોષ માનીએ !
Jain Education International
For Private & Personal Use Only
૨૪ ૨ ભગવાન મહાવીર
www.jainelibrary.org