________________
આ નગરીમાં ધનનો પાર નહોતો. ૭ હજાર હવેલી સોનાના કળશવાળી હતી, ૧૪ હજાર રૂપાના કળશવાળી હતી. આ તો કોટ્યાધિપતિની વાત થઈ. લખોપતિની હવેલી ૫૨ તાંબાના કળશ રહેતા. એનો તો સુમાર નહોતો. સુખી લોકો ચીનમાં બનેલાં રંગીન રેશમી વસ્ત્રો પહેરતા. આભૂષણોનો તો પાર નહોતો. મણિમાણેક મઢ્યાં છત્ર માથે રાખી, સોના-રૂપાના રથમાં લોકો જાઆવ કરતા. દીન-દરિદ્રી તો ભાગ્યે જ દેખાતાં.
હાથીની સવારી તો અહીં સામાન્ય હતી. સ્ત્રીઓ સોનાની પાલખીમાં બેસતી, રંગીન વસ્ત્રો પહેરતી. એના શરીર પર સોનાનો સુમાર નહોતો. બે બાજુ ઘટાદાર વૃક્ષોવાળી વૈશાલીની શેરીઓમાંથી જ્યારે આ સ્ત્રીઓ પસાર થતી ત્યારે દેવનગરીની શોભા પ્રગટતી. પુરુષો ઘોડે ચઢી, કમરે તલવાર લટકાવી, બાંહ્ય બાજુબંધ, ગળે કંઠો ને માથે મુગટ પહેરી નીકળતા, ત્યારે બે ઘડી જોવાનું મન થઈ જતું.
આ વૈશાલી નગરીનો ભારે વિસ્તાર હતો. અનેક પરાં હતાં. એમાં બે પરાં જાણીતાં હતાં. એક કુંડગ્રામ ને બીજું વાણિજ્યગ્રામ. તેમાંય કુંડગ્રામ એના નાગરિકોની સુશીલતાને લીધે પંકાયેલું હતું.
આ કુંડગ્રામમાં ઉત્તર-દક્ષિણ બે વિભાગ હતા. ઉત્તર વિભાગમાં મોટે ભાગે ક્ષત્રિયો રહેતા. એથી એ ક્ષત્રિય કુંડગ્રામ તરીકે ઓળખાતું. દક્ષિણમાં મોટે ભાગે બ્રાહ્મણો રહેતા. એથી એ બ્રાહ્મણ કુંડગ્રામ તરીકે પંકાતું.
કહેવાતું કે વૈશાલીમાં એક લાખ ને અડસઠ હજાર રાજાઓ હતા. ઘણા આગળ વધીને કહેતા, કે વૈશાલીનો દરેક જણ પોતાને રાજા-રાજકર્તા ગણતો. આ બધા રાજાઓમાં-આગેવાનોમાં મુખ્ય આગેવાન ચેટક હતો. એનું બિરુદ જિતશત્રુ હતું.
રાજા ચેટકની પસંદગી પામેલો મહાપુરુષ હતો. એના બળની બધે બોલબાલા હતી. એના ગુણની બધે ખ્યાતિ હતી. રાજા ચેટકને એક બહેન હતી. ગુણમાં ચંદ્ર જેવી, રૂપમાં સૂરજ જેવી. એનું નામ ત્રિશલાદેવી !
રાજા ચેટકે એને ક્ષત્રિય કુંડગ્રામના એક સદ્ગુણી ક્ષત્રિય સાથે પરણાવી હતી. એ ક્ષત્રિયનું નામ રાય સિદ્ધાર્થ !
કયું ગામ ને કોણ માબાપ એ ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org