________________
કયું ગામ ને કોણ માબાપ
આજથી છવીસસો વર્ષ પહેલાંની આ વાત છે. આજે ચાલતો રાજા વિક્રમનો સંવત શરૂ થવાની ત્યારે, ઘણાં વર્ષોની વાર હતી.
એ વખતે ભારતના નકશામાં અનેક રાજ્યો હતો. કેટલાંક રાજ્યોમાં રાજા રાજ્ય કરતો હતો. કેટલાંક રાજ્યોમાં જનસંઘ ને મહાજનો રાજ ચલાવતાં હતાં.
એવું એક વિદેહનું રાજ હતું. રામાયણમાં આવતાં સતી સીતામાતાના પિતા, જનકવિદેહી એક વાર અહીં રાજ ચલાવતા. ક્ષત્રિયોનો ધંધો લડવાનો. વિદેહના ક્ષત્રિયો લડતા ને સાથે ધર્મનો ને બ્રહ્મનો પણ ઊંડો વિચાર કરતા. તેઓ “કમે સૂરા સો ધમ્મ સૂરા” હતા. જેવા પરાક્રમી એવા પંડિત !
આ વાત જૂની થઈ. જે વખતની આપણે વાત કરીએ છીએ, તે વખતે વિદેહમાં જનસંઘનું-ગણતંત્રનું રાજ હતું. ઘણા માણસો થોડા માણસોને ચૂંટતા. એ થોડા માણસો ઘણા માણસોની વતી રાજ ચલાવતા. એ થોડા માણસો રાજા કહેવાતા. એની પાટનગરી વૈશાલી હતી. વૈશાલીને ઘણા વિશાલા પણ કહેતા. ગંડકી નદીને તીરે વસેલું હતું.
આ નગરી દેવોની નગરી જેવી સુંદર હતી. ત્યાં બેડોળ કે કદરૂપાં માણસો જન્મતાં જ નહિ. એ નગરનો નર દેવતા જેવો બળવાન ને દેખાવડો, ને નારી દેવી જેવી સુંદર ને સુડોળ હતી.
૧૦ ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org