________________
હાથમાં રાશ છે તો કોઈના હાથમાં વેલણ છે.
વર્ધમાન તો સહુને આંખની કીકી જેનો વહાલો છે ! સહુ મદદે દોડ્યા છે ! ત્યાં તો સામેથી અઘોરી પર સવારી કરીને કુમાર આવતો દેખાયો. જાણે આકાશેથી દેવકુમાર ઊતરી આવ્યો !
લોકો બોલી ઊઠ્યાં : “અમારો વર્ધમાન કુશળ હો !”
વર્ધમાને અઘોરીના ખભેથી કૂદકો માર્યો. ગામલોકોએ એને પોતાની હથેળીમાં ઝીલી લીધો. માતા ત્રિશલાએ એને છાતીએ ચાંપ્યો. ભાઈ નંદીએ કપાળે ચૂમી ચોડી. પિતા સિદ્ધાર્થે એના કેશ ગૂંધ્યા. કાકા સુપાર્શે કોટી કરી.
સૌની હૈયાવાટકડીમાં હર્ષ ન સમાય ! પછી તો લોકો ઊપડ્યા અઘોરીને મારવા !
વર્ધમાન દોડીને આડા ફર્યા. “ખબરદાર ! એને કોઈએ આંગળી અડાડી તો !”
“અરે ! એ અધર્મીને જીવતો ગૂડી નાખવો જોઈએ.” બધાએ કહ્યું.
વર્ધમાન કહે : “ના, એને મરાય નહિ. પાપીને પાપનું ભાન થાય, એ જ એની સજા ! આપણે સજા કરનારા કોણ ? ક્ષમા આપો ને છોડી મૂકો !”
“અરે ! કુમાર નાને મોંએ મોટી વાત કરે છે !” એકે કહ્યું. “પણ હૈયા સોંસરવી ઊતરી જાય તેવી વાત કરે છે !” બીજાએ કહ્યું. જતાં જતાં અઘોરીએ કહ્યું :
“હે વર્ધમાન ! મને સામાન્ય માનવી ન સમજતો. હું દૈવી શક્તિવાળો છું. તારી કસોટી કરવા આવ્યો હતો. મેં તને દેહથી વીર માન્યો હતો, પણ હૃદયથી તો તું મહાવીર છે ! તારો જય હો !”
અઘોરી અદશ્ય થઈ ગયો. કુમાર વર્ધમાન તે દિવસથી મહાવીરને નામે પંકાયા.
દેહથી વીર, દિલથી મહાવીર ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org