________________
જગ્યા એવી ભયંકર છે કે માણસ ફાટી મરે ! પણ કુમાર વર્ધમાનને તો જાણે ઘર ને વગડો સરખાં છે. ધીરેથી એણે હાથ ઉપાડ્યો, મુક્કી વાળી, ને અઘોરીના મસ્તક પર દીધી !
બાળકની મુક્કીનો શો હિસાબ ! જાણે લોઢાની દીવાલ ઉપર ગુલછડીનો ઘા ! પણ અજબ જેવો આ કુમાર છે. ગજબ એનું બળ છે. નાનીશી મુકીએ અઘોરીને કંપાવી દીધો.
વર્ધમાને બીજી મુક્કી મારી! તોફાને ચડેલો હાથી અંકુશના ઘાએ વશ થઈ ગયો. અઘોરી ચીસ પાડી ઊઠ્યો. કહ્યું છે ને, નાનો પણ રાઈનો દાણો!
તરત જ ત્રીજી મુક્કીનો પ્રહાર થયો. પહાડ જાણે નમી પડ્યો. અઘોરીની રાડ ફાટી ગઈ. એ આ કુમારને ઉપરથી ફેંકી દેવા મથી રહ્યો, પણ ઊખડે એ બીજા.
કુમારે તો વળી બીજી મુક્કી મારી ! પણ આ મુક્કીએ તો અઘોરીનાં હાડેહાડ ખખડાવી નાખ્યાં.
અઘોરી બોલવા માંડ્યો : “તારી ગૌ, વર્ધમાન ! કહે તો ખડ ખાઉં, પણ ભલો થઈને હેઠો ઊતર !”
વર્ધમાન કહે : “તો ચાલ, મને ઘેર મૂકી જા.” અઘોરી કહે : “ગામલોકો મારાં સોયે વર્ષ ત્યાં ને ત્યાં પૂરાં કરી નાખે !”
વર્ધમાન કહે : “તારો વાળ પણ વાંકો નહિ થવા દઉંગાય થયો તો હવે ગાય થઈ જાણજે !” 1. અઘોરીનું મન નહોતું, પણ વર્ધમાનની મુક્કીનો એને ડર હતો. એ વર્ધમાનને ખભા પર લઈ નગર તરફ ચાલ્યો.
નગરમાં તો ખબર પડી છે, ને કાળો બોકાસો બોલ્યો છે.
વર્ધમાન રાજાના કુંવર છે એથી નહીં – પણ આમ જનતાને વહાલો છે: એથી બધા ઘરબહાર શોધમાં નીકળી પડ્યા છે ! કોઈના હાથમાં તીર છે, તો કોઈના હાથમાં તિરકમ છે. કોઈના હાથમાં ભાલો છે, તો કોઈના હાથમાં ભૂંગળ છે. કોઈના હાથમાં કિરપાણ છે, તો કોઈના હાથમાં સાંબેલું છે. કોઈના
૮ % ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org