________________
પ૦
ટૅક કુંભાર
તપસ્વી જમાલિ ઠેર ઠેર ભગવાનનો આવર્ણવાદ (નિંદા કરતો) ફેલાવતો ફરવા લાગ્યો. શ્રી ગૌતમે એને ઘણો સમજાવ્યો, પણ એ ન સમજ્યો; બલકે વધુ બગડી બેઠો.
પ્રિયદર્શના પણ પોતાના પતિની જેમ, પતિનો સિદ્ધાંત સાચો લાગવાથી, પોતાની હજાર સાધ્વીઓ સાથે જુદી વિહાર કરતી હતી. ભગવાન મહાવીરે કદી પણ પોતાનાં સંસારી દીકરી-જમાઈને સમજાવવા પ્રયત્ન કર્યો નહિ, બલકે આડકતરો પણ એકે અક્ષર કહ્યો નહિ ! ખેતરમાં પડેલા લાખો મણ ઘઉમાં કાંકરા અનિવાર્ય હતા.
એક વાર પ્રિયદર્શના પોતાના મંડળ સાથે શ્રાવતી નગરીમાં આવી. અહીં ઢંક નામનો સુખી કુંભાર રહેતો હતો. એની ભાંડશાલામાં એ ઊતરી, ઢંક સદ્દગુણોનો અનુરાગી હતો. એની અંદરખાનેથી ઇચ્છા હતી, કે જમાલિ અને પ્રિયદર્શના સાચું તત્ત્વ સમજે અને પ્રભુ મહાવીરના પંથમાં પાછાં ફરે.
એક વખત પ્રિયદર્શના બેઠી હતી. ઢેક પાસે બેઠો હતો. ઢકે એક સળગતો અંગારો લીધો, ને પ્રિયદર્શનાના વસ્ત્ર પર નાખ્યો. વસ્ત્ર બળવા લાગ્યું. પ્રિયદર્શના એકદમ ઊભી થઈ ગઈ, ને બોલી.
રે ઢંક ! તમારા પ્રમાદથી મારું વસ્ત્ર સળગી ગયું !” ઢક કુંભાર વિનયથી બોલ્યો : “હે સાધ્વી, અસત્ય ન ભાખો. જમાલિના
ર૧૪ % ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org