________________
મત પ્રમાણે તો બધું બળી જાય, પછી બળ્યું કહેવાય. તમે જે બળી ગયું બોલ્યાં, તે તો ભગવાન મહાવીરનું વચન છે.'
પ્રિયદર્શના વાતનો મર્મ તરત સમજી ગઈ. તેજીનો ઇશારો બસ હતો. એણે જમાલિનો મત છોડી દીધો. એ ભગવાનના પંથમાં આવી ગઈ. જમાલિના સાધુઓ પણ ધીરેધીરે એનાથી છૂટા થવા લાગ્યા, પણ જમાલિ અંત સુધી અણનમ રહ્યો.
એક વાર જમાલિના મરણના સમાચાર આવ્યા. શ્રી ગૌતમે પૂછ્યું : ભગવાન, એ કઈ ગતિ પામ્યો ?'
ભગવાન બોલ્યા : “ગુરુદ્વેષી, સંઘષી, લોકોને ઊંધે માર્ગે દોરનાર જે ગતિને પામે, એ ગતિને એ પામ્યો, પણ એ પવિત્ર જીવનવાળો, એકાંતમાં રહેનારો, ભોગોપભોગમાં વિરતિવાળો હોવાથી છેવટે જરૂર સિદ્ધિ પામશે.”
પોતાના કટ્ટર હરીફ પ્રત્યેનો મહાવીરનો હેતભાવ અપૂર્વ હતો.
ટંક કુંભાર ૪ ૨૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org