________________
પણ આ શબ્દોએ ગોશાલકને વધુ ઉગ્ર બનાવ્યો. એણે કટુ વચનોથી વાયુમંડળ ભરી દીધું. માનવમેદની પણ ગોશાલક તરફ જરા નારાજી બતાવી રહી. ભગવાન મહાવીરના સર્વાનુભૂતિ નામના શિષ્યથી ન રહેવાયું; ને આગળ આવ્યા, ને બોલ્યા :
“રે ગોશાલક ! કોઈ શ્રમણ કે બ્રાહ્મણ પાસેથી એક પણ આર્ય-વચન શીખ્યા હોઈએ તોયે તે બહુમાન કરવા યોગ્ય છે; તો તું તો શ્રમણ ભગવાન મહાવીરનો જ શિષ્ય છે. એમની પાસેથી સર્વ વિદ્યા શીખ્યો છે. પછી આ અનાર્યપણું કેવું ? અથવા ભગવાને કહ્યું તેમ તારી પ્રકૃતિમાં જ એ તત્ત્વ છે ?” ભલે ત્યારે, તુ તુ માની - નોમન્તો ભવન્ત : (ખૂબ ગાળો આપો, કારણ કે ગાળ-મય જ તમે છો.)
છેલ્લા વાક્ય સાથે આજુબાજુની મેદની હસી પડી. આર્ય ગોશાલક ઉશ્કેરાયો. એણે સૂર્ય સામે જોયું. પછી સાધુ સામે જોઈ ભયંકર ફુત્કાર કર્યો. સાથે નેત્રમાંથી દૃષ્ટિવિષ સર્પ જેવી પીંગળી પીંગળી જ્વાલા નીકળી. શિખામણ આપવા આવેલા મુનિ સર્વાનુભૂતિ ત્યાં ને ત્યાં બળીને ઢીમ થઈ ઢળી પડ્યાં.
સર્વાનુભૂતિનું સ્થાન સુનક્ષત્ર મુનિએ લીધું. એ કંઈક બે શબ્દો કહે, તે પહેલાં તે પણ ગોશાલકની આંખમાંથી નીકળતી પીંગળી જ્વાલાઓમાં ભસ્મીભૂત થયા ! વાત વાતમાં બે પવિત્ર મુનિઓની લાશો ત્યાં પડી ગઈ. વાતાવરણમાં હાહાકાર વ્યાપી ગયો.
ગોશાલક જાણે અવિજેય બની ગયો. એના પ્રતાપથી આખું વાતાવરણ કંપી રહ્યું. માનવમેદની એની શક્તિને ભયથી વંદી રહી, પણ ભગવાન મહાવીરના મરજીવા મુનિઓનો આતશ એમ ઠંડો પડે તેમ નહોતો. જીવનનો મોહ ને મૃત્યુનો ભય તેઓ છોડીને આવ્યા હતા. મુનિ સુનક્ષત્રનું સ્થાન લેવા બીજા મુનિઓ આગળ આવ્યા, પણ તેઓને પાછળ રાખી, ભગવાન મહાવીરે આગળ આવીને એ સ્થાન લીધું.
ગોશાલકે પોતાના એકમાત્ર પ્રતિસ્પર્ધિને નીરખ્યા. એના માર્ગનો આ મહાકંટક દૂર થાય, તો સંસારમાં ગોશાલકને આંટે એવો બીજો નર નહોતો ! આજ ભલે લાખ ભેગા સવા લાખ થઈ જાય. પાપડી ભેગી ભલે ઇયળ બફાઈ જાય. ઇષ્ટ જ હતું. ગોશાલકમાં અજબ ઝનૂન વ્યાપી રહ્યું : એ સાત-આઠ જીવલેણ પ્રસંગ « ૨૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org