________________
દિક્ષા લીધી હતી. છ વર્ષ મારી સાથે રહ્યો. મને પ્રેમથી અનુસર્યો. પછી તે શક્તિ તરફ આકર્ષાયો. શક્તિથી મળતી કીર્તિનો દાસ બન્યો. એ મારાથી જુદો પડ્યો. સ્વચ્છંદી થયો. સ્વચ્છેદે વિચારવા લાગ્યો. એ તીર્થકર નથી. સર્વજ્ઞ નથી. એ જ મહાનિમિત્તોનું જ્ઞાન ધરાવે છે, પણ સર્વજ્ઞપણા કે તીર્થંકરપણા સાથે એને કશી લેવાદેવા નથી.”
ધર્મસભા પૂરી થયે, નગરજનો તરત જ આર્ય ગોશાલક પાસે પહોંચ્યા. લોક લડાઈનું રસિયું હોય છે. ભગવાન મહાવીરે કહેલી વાત આર્ય ગોશાલકને કહી. એને લાગ્યું કે આ મહાવીર મારી સોળ વર્ષની કીર્તિને સાફ કરી નાખશે. મારી બનાવેલી બાજી બગાડી નાખશે. હું ક્યાંયનો રહીશ નહિ. એના અંતરમાં ભયંકર પ્રતિકાર જાગ્યો.
એ વખતે આનંદ નામના મહાવીરના શિષ્ય ત્યાં થઈને નીકળ્યા. ગોશાલકે ભયંકર ગર્જના કરતાં એને કહ્યું : “કહી દેજો તમારા એ ને ! હું એને છેડતો નથી, ને એ મને વારે વારે છેડે છે. સદાલપુત્રને તેમણે મારા વિરુદ્ધ ભરમાવ્યો. મારા મતમાં મોટું ભંગાણ પાડ્યું. કહી દેજો તમારા તીર્થકરને ! મને છંછેડીને સાર નહિ કાઢે.”
ભગવાન મહાવીરને આ સમાચાર મળ્યા. તેમણે તમામ શિષ્યોને સૂચના આપી કે એની વિરુદ્ધ કંઈ ન બોલવું. ત્રાજવું ભલે પોતાના ભારથી જ તૂટી જાય, પણ નગરજનોમાં આ બે સર્વજ્ઞો વચ્ચેના સંઘર્ષનો ભારે ઉત્સાહ હતો.
તેઓએ આખરે ગોશાલકને મેદાને પાડ્યો. એ પોતાના શિષ્ય પરિવાર સાથે ભગવાન મહાવીરના ઉતારે આવ્યો. માણસ તો મા'તું નહોતું.
આર્ય ગોશાલકે પોતાનો વાણી-વ્યવહાર ચાલુ કર્યો. મહાવીર સ્વસ્થ બેઠા સાંભળી રહ્યા. ગોશાલકનો વેગ આથી વધ્યો. એને જાણે ખુલ્લું મેદાન મળ્યું. એ ખીલ્યો. એણે ગાલિપ્રદાન શરૂ કર્યું. જેટલું કડવું બોલી શકાય તેટલું બોલવા માંડ્યું. વાતાવરણ ક્ષુબ્ધ થઈ ગયું.
સાધુઓમાં ઉશ્કેરણીનું મોજું ફરી વળ્યું.
ભગવાન મહાવીરે સાધુઓને શાંત કરતાં કહ્યું : “એની એવી પ્રકૃતિ છે. પ્રકૃતિ ને પ્રાણ સાથે જાય. એવા તરફ તો ક્રોધ કરતાં કરૂણા જ કહ્યું.'
૨૦૬ % ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org