________________
૪૯ જીવલેણ પ્રસંગ
ભગવાન મિથિલામાં ચાતુર્માસ ગાળી, શ્રાવસ્તી નગરીમાં આવ્યા. દીક્ષાનું આ એમનું સત્તાવીસમું વર્ષ હતું.
આ વખતે ગોશાલક અહીં જ હતો. ગુરુ ને શિષ્ય બરાબર સોળ વર્ષ પછી, એક ગામમાં ભેગા થતા હતા. આજે એ જૂનો ગોશાલક નહોતો રહ્યો, જે પોતાના ગુરુ મહાવીરનો મહિમા ગાવા ખાતર ભાતભાતનાં દુઃખ વેઠતો, માર ખાતો, ને માર ખાતો ખાતો પ્રશંસા કરતો. જે. એક વખત ગુરુસેવામાં ગુરુના દેહના પડછાયા રૂપ બની ગયો હતો, જેણે અનાર્ય દેશનાં દુઃખને પણ ગુરુચરણની સેવા પાસે સુખ માન્યાં હતાં, એ ગોશાલક આજે ભગવાન મહાવીરનો હરીફ બન્યો હતો. એ પોતે સર્વજ્ઞ, તીર્થકર ને અર્ણન છે, એમ કહેતો હતો.
શ્રી ગૌતમ ભિક્ષા માટે શ્રાવસ્તીમાં ગયા, ત્યારે એમણે લોકોને કહેતા સાંભળ્યા :
આજે શ્રાવસ્તીમાં બે તીર્થંકરો આવ્યા છે.”
શ્રી ગૌતમ ભિક્ષા લઈ પાછા વળ્યા, ને તેમણે ભગવાનને પ્રશ્ન કર્યો : “શું ગોશાલક ખરેખર તીર્થકર છે ?'
મહાવીર ધર્મસભામાં બેઠા હતા. તેમણે સહુ સમક્ષ જ કહ્યું : “ગૌતમ, ગોશાલક નથી સર્વજ્ઞ કે નથી તીર્થંકર. એ તીર્થકર શબ્દનું અપમાન કરે છે. યોગ્યતા વગર ઉપાધિ કેવી ? આજથી ચોવીસ વર્ષ પહેલાં મારી પાસે એણે
જીવલેણ પ્રસંગ & ૨૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org