________________
કદમ પાછો હઠ્યો; મોટી મોટી આંખોને સૂર્ય તરફ સ્થિર કરી. સૂર્યના પ્રચંડ અગ્નિને જાણે આંખોના કોઠામાં સંગ્રહી લીધો. પછી એ આગળ આવીને ઊભેલા શાંતિના અવતાર જેવા મહાવીર પર આંખો ઠેરવી. વિશેષ વિસ્તીર્ણ કરી. ભયંકર ફુત્કાર કર્યો. તરત જ સળગતી આગનું એક મહાવર્તુળ શ્રમણ મહાવીરના દેહને વીંટી વળેલું દેખાયું.
તેજલેશ્યા ! હા, હા, હા ! મહાવીર ! પોલાદને પણ ખાખ કરનારો અગ્નિ ! ખાખ, મહાવીર ખાખ ! લેતો જા. સાપના દરમાં હાથ ઘાલવાનું આ પરિણામ. હવે માંડ છ મહિના કાઢીશ !' ગોશાલકે આકાશને વીંધતું અટ્ટહાસ્ય કર્યું, પણ બીજી પળે તેણે આશ્ચર્ય સાથે જોયું કે પેલું તેજવર્તુળ મહાવીરના દેહમાં પ્રવેશ કરવાને બદલે એમના દેહની પરકમ્મા કરી રહ્યું હતું !
અને ગોશાલક આ અજબ ઘટના અંગે કંઈક વિચારે, એ પહેલાં એ તેજવર્તુળ પાછું ફર્યું, એની તરફ ધસ્યું ને એના જ દેહમાં સમાઈ ગયું.
પળવારમાં તો દેખાવડો ગોશાલક બિહામણો બની ગયો. મોં કાળું બની ગયું. કાન કોડિયા જેવા બની ગયા.
મહાવીર તો શાંતિના અવતાર બનીને ખડા હતા. એમણે એ જ સ્વસ્થતા અને શાંતિ સાથે કહ્યું : “ગોશાલક ! હાથનાં કર્યા આખરે હૈયે વાગે છે, કર્મનો એ નિયમ છે. આયુષના બંધ કોઈ ઓછા કરી શકતું નથી. મારે હજી સોળ વર્ષ સુધી આ દેહ-ભાર છે, પણ તારે માટે તો માત્ર સાત રાત-દિવસ બાકી છે. બધું ભૂલી જા ! મહાનુભાવ ! અસારને સાર ન માની લે. એકમાત્ર આત્માની ચિંતા કર ! કીર્તિને છાંડી દે. એની ભસ્મ કરી નાખ.'
મહાવીરના મુખમાંથી અમી ઝરતું હતું. તેઓ આગળ આવીને બોલ્યા : “એક દિવસ તને મારા પર આંધળો અનુરાગ હતો. મારા માટે તું માર ખાતો, હેરાન થતો. આજે દ્વેષમાં અંધ બન્યો છે. મને મારી નાખવા ઇચ્છે છે. મારું અસ્તિત્વ તને ખટકે છે. હું જાણું છું કે રાગ અને દ્વેષ તો એક ઢાલની બે બાજુ છે. વીસરી જા ! સ્વસ્થ થા ! શાંત થા ! આત્મકલ્યાણ તરફ જા.'
અમૂષુ સર્પની જેમ કાતિલ નજર કરતો, ગોશાલક પાછો ફર્યો. એના દેહ પર જાણે દવ પ્રગટ્યો હતો. સાતમે દિવસે ગોશાલક મૃત્યુ પામ્યો.
૨૦૮ ભગવાન મહાર્વર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org