________________
કલ્યાણ કર્યું, પણ આ મહાપાપનો પ્રતિઘોષ હોય તેમ મગધ અને વૈશાલી વચ્ચે યુદ્ધ જાગ્યું.
રાજલક્ષ્મીના અનિષ્ટ સ્વરૂપનું એ વખતે સહુને દર્શન થયું. માણસને માખીની જેમ સંહારનારાં રથમશૂલ ને મહાશિલાકંટક નામનાં યુદ્ધયંત્રો શોધાયાં. રથમશૂલ યંત્રમાં એવી કરામત કરી હતી કે એ યુદ્ધના મેદાનમાં આપમેળે આગળ વધતું. હાંકનાર વગર હાલતું એ યંત્ર આપોઆપ શત્રુદળમાં પેસી જઈ લોહમૂશળથી હજારોનો કચ્ચરઘાણ કાઢતું. બીજા યંત્રનું નામ મહાશીલાકંટક હતું. એમાં એવી કરામત હતી કે એમાંથી કાંકરો છૂટતો ને શિલાના વેગથી વાગતો.
આ લડાઈમાં એક તરફ નવ લચ્છવી ને નવ મલ્લરાજાઓ તેમ જ કાશીકોશલના અઢાર રાજાઓ ને તેમનું સૈન્ય હતું.
બીજી તરફ મગધરાજ અજાતશત્રુ ને તેના દસ ભાઈઓ હતો.
આ ભયંકર યુદ્ધનું નિમિત્ત એક હાથી ને એક હાર બન્યાં હતાં. એ તો બહાનાં હતાં. સાચી વાત તો સહુનાં અંતર લડાઈ માટે ઝંખતા હતાં.
આ યુદ્ધ મહાભયંકર થયું. ૯૬ લાખ માણસો એમાં મરાયાં. અજાતશત્રુએ સોનાની વૈશાલીને ખંડેર કરી, એના પર હળ ફેરવ્યું. હળ ગધેડા જોયાં. વેરનો આ વિપાક જોઈ આખો દેશ કંપી ઊઠ્યો. વાસ્તવમાં એ યુદ્ધ ને રોકી શકાયું, પણ એણે ભાવિ અ-યુદ્ધના પાયા નાખ્યા. મહાવીરની અહિંસાના મહિમાનું પ્રત્યક્ષ દર્શન થયું.
૨૨ જ રાજા મહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org