________________
૪૭
વૈશાલીનું યુદ્ધ
શ્રીકૃષ્ણે યાદવોને અનેક રીતે વાર્યા, પણ જેમ યાદવાસ્થળી ન રોકી
શકાઈ, એમ ભગવાન મહાવીરે ક્ષત્રિયોને અનેક વાર કહ્યું :
‘જીવન પાંદડાં પર પડેલા બિંદુ જેવું ક્ષણિક છે.
‘કામ-ભોગ વાદળ જેવા ચંચળ છે.
‘બહાર યુદ્ધ કરવા જેવું કંઈ નથી. અંદર યુદ્ધ કરો.
‘બાહુબળ નિષ્ઠુર છે. સ્વાર્થ ક્રૂર છે. લોભ દારુણ છે. અજ્ઞાન અંધ છે. ગર્વ સહુને છૂંદે છે.
‘જેને તમે હણવા માગો છો, તે તમે જ છો. જેને તમે પરિતાપ ઉપજાવવા માગો છો, તે તમે જ છો, જેને તમે દબાવવા માગો છો, તે પણ તમે જ છો. આમ વિચારી સમજુ માણસ (પડિબુદ્ધજીવી) કોઈને હણતો નથી, કે હણાવતો નથી.'
ક્ષત્રિયો તત્કાળ તો એ વાત સમજ્યા, પણ રાજ્યલોભ આકરો નીવડ્યો. એમાંય રાજગૃહમાંથી જ એ આગ સળગી. મગધપતિ શ્રેણિક જેવા પિતાને કેદમાં નાખી, એના પુત્ર અજાતશત્રુએ રાજ્યનો કબજો લીધો, એટલું જ નહિ, પિતાને, કારાગૃહમાં રિબાવી રિબાવીને માર્યો, ત્યારે જગતને રાજલક્ષ્મીના ભયંકર સ્વરૂપનું સાચું ભાન થયું.
શ્રેણિકને મહાવીરના સંસર્ગથી જે આત્મલક્ષ્મી પ્રાપ્ત થયેલી, તેણે તેનું
વૈશાલીનું યુદ્ધ ૭ ૨૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org