________________
આવી રીતે પાણી માટે બન્યું. ભગવાને કહ્યું : ‘આ તળાવનું પાણી અચિત્ત છે; પણ તે હું જાણી શકું છું. બીજા નહિ. માટે વ્યવહારની રીતે હું ના કહું છું.’
ભગવાન આમ અપાર સંકટો વેઠી, એક હજાર માઈલનો જીવલેણ પ્રવાસ ખેડી વીતભયનગર પહોંચ્યા. ત્યાંના રાજાને ધર્મનો ઉપદેશ આપ્યો, સાચો શ્રમણોપાસક બનાવ્યો, અને તરત જ પાછા ફર્યા.
માર્ગમાં બનારસ આવ્યું. તેનો રાજા તેમનો અનુરાગી બન્યો. રાજા અનુરાગી થાય, એટલે પ્રજા કંઈ પાછળ રહે !
બનારસના બે કરોડપતિ, ચલનીપિતા તથા સુરાદેવ તેમના અનુયાયી બન્યા. આ ચોમાસું રાજગૃહમાં કર્યું. રાજગૃહના સ્વામી શ્રેણિક-બિંબિસારના અનેક પુત્રોએ, અનેક રાણીઓએ દીક્ષા લીધી.
રાજા શ્રેણિક બિંબિસારે ઘોષણા કરી : ‘જે કોઈ ભગવાન પાસે દીક્ષ' લેવા માગે તે લઈ શકે છે. પાછળની જવાબદારીઓ રાજ્ય અદા કરશે.' ત્યાગના દીપકમાં વિશેષ તેલ પુરાયું.
Jain Education International
*
For Private & Personal Use Only
૨૦૦ ભગવાન મહાવીર
www.jainelibrary.org