________________
૪s એક હજાર માઈલ પગપાળા
સિંધુ-સૌવીર નામનો દેશ છે. વિતભયપટ્ટન એનું રાજધાનીનું શહેર છે. ઉદાયન નામનો રાજા ત્યાં રાજ કરે છે.
ઉદાયન આત્મામાં માનનારો છે. એ મનમાં વિચારે છે : રે ભગવાનનાં દર્શન કરનાર જીવોને ધન્ય છે. એ મહાજ્યોતિ અહીં આવે તો હું પણ દર્શન, વિંદન કરી યોગ્ય સેવા કરું.
ભગવાન આ વખતે ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં હતા. તેઓએ ઉદાયન રાજાનો મનોભાવ જાણ્યો, ને તરત તે તરફ ચાલી નીકળ્યા. એક રાજા બોધ પામે, તો હજારો પ્રજાજનો તેને અનુસરે. એ વખતમાં રાજા પર પ્રજાને એટલો ભરોસો.
ચંપાનગરીથી વિતભયનગર લગભગ એક હજાર માઈલ છેટે હતું. માર્ગમાં મરુભુમિ પડતી હતી. નવા નવા ને જુવાન સાધુઓને ભૂખ ને તૃષા ખૂબ સતાવતી; છતાં આ મંડળી પ્રવાસવેગમાં લેશ પણ ક્ષતિ ન આવવા દેતી. ભૂખ અને તરસથી પાછાં પગલાં ભરે, એ ભિક્ષ નહિ,
માર્ગમાં તલની ગાડીઓ મળી. ગાડામાલિકે ભિક્ષુઓને તલ આપવા માંડ્યા. નાના સાધુઓ ભગવાન પાસે આજ્ઞા માગવા ગયા. ભગવાને કહ્યું : “સાધુને સચિત્ત વસ્તુનો ત્યાગ હોય. તલ મોટે ભાગે સચિત્ત હોય છે. જોકે આ તલ અચિત્ત છે : પણ તે હું મારા જ્ઞાનથી જાણી શકું છું, પણ ભવિષ્યમાં બીજા કેમ જાણી શકશે ? માટે નિષેધ કરું છું.”
એક હજાર માઈલ પગપાળા જ ૧૯૯
-
-
-
-
- -
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org