________________
‘ભગવાન, ખિજાવાની કે કોપ કરવાની વાત તો બાજુએ મૂકો; હું એ દુષ્ટ માણસને મારું, કાપું, કદી જીવતો જવા ન દઉં.’
‘અરે સદ્દાલપુત્ર, તારો જ સિદ્ધાંત, તું જ કેમ ભૂલે છે ? તારા સિદ્ધાંત પ્રમાણે તો, ન કોઈ વાસણ ફોડે છે, ન કોઈ તારી પત્નીને ઉપાડી જાય છે ! તારા મત પ્રમાણે તો કોઈના પ્રયત્ન વિના, એ તો બનવાનું બને જાય છે ! ઉત્થાનની, બળની, વીર્યની, પુરુષાર્થની તને – નિયતિવાદના ઉપાસકને, શી ખેવના ?’
આ શબ્દો સાંભળી સદ્દાલપુત્રનાં પડળ એકદમ ઊતરી ગયાં. એ દિવસે સદ્દાલપુત્ર સાચા વીરધર્મને સમજ્યો.
Jain Education International
For Private & Personal Use Only
૧૯૮ ૭ ભગવાન મહાવીર
www.jainelibrary.org