________________
‘પહેલાં એ માટીનો પિંડ હતો. એને મસળી, પિંડ બનાવી, ચાકે ચઢાવ્યો. હવે તે ઘડો બન્યો.'
‘વારુ ! તારા નકશીદાર ઘડાઓને કોઈ લઈને ફોડી નાખે તો ? તને દુઃખ થાય ખરું ?'
‘શા માટે ન થાય ? પણ હું કોઈને ફોડવા જ કેમ દઉં ?'
‘એમાં તું શા માટે વિરોધ કરે ?'
‘ભગવન્, પેટના જણ્યા જેવા આ ઘડા છે. એની માટી જેવી તેવી નથી. એ લાવતાં મારે અનેક જાનવરોનો ભોગ આપવો પડ્યો છે. લાવીને એને ચોખ્ખા જળથી કાલવી છે, ને પછી મારી પ્રિય ભાર્યા અગ્નિમિત્રાના કોમળ પગોએ એને સુંદર રીતે કેળવી છે. કેળવ્યા પછી કુશળ કારીગરને હાથે એ ચાક પર ચઢી છે; ને એમાંથી આ ઘડો નીપજ્યો છે.'
‘વાહ, વાહ, શો તારો પુરુષાર્થ ! ત્યારે તો તેં તારા બલ, વીર્ય ને પરાક્રમથી જ આ નીપજાવ્યું છે, કેમ ?' ભગવાને એને મૂળમાંથી પકડ્યો.
સદ્દાલપુત્ર ચમક્યો. એ પોતે આજીવક મતનો અનુયાયી હતો. એ મત નિયતિવાદમાં માનતો. એની માન્યતા હતી કે જે થવાનું હોય તે થાય છે. એમાં માણસનાં ઉત્થાન, બળ, વીર્ય ને પરાક્રમ નિરર્થક છે.
ભગવાનનું કથન સદ્દાલપુત્ર સમજ્યો. એણે તરત વાત ફેરવીને કહ્યું : ‘ના, ના. એ તો થવાનું હતું ને થયું. બધી વસ્તુઓ નિયતિના બળે બન્યા કરે છે. પુરુષકારની અથવા ઉત્થાન, બળ, વીર્યની ત્યાં જરૂ૨ નથી.’
ભગવાનની મુખમુદ્રા પર દિવ્ય સ્મિત ફરકી રહ્યું. એમણે વાંસળીના જેવા મીઠા સ્વરે કહ્યું : ‘જો ખોટું ન લગાડે તો એક વાત પૂછી લઉં. નિયતિથી જ જો આ બધું બનતું હોય તો કોઈ જોરજુલમથી તારાં વાસણ ફોડી જાય, કોઈ તારો નીંભાડો બુઝાવી નાખે, તને મારે, તને લૂંટે, અરે, તારી આ પ્રિય પત્ની અગ્નિમિત્રાને દુષ્ટ ઇરાદાથી ઉપાડી જાય તો તારે એમાં ખિજાવાનું કે કોપ કરવાનું કંઈ કારણ ન રહ્યું ખરું ?'
સદ્દાલપુત્ર ભગવાનનાં આ વચનો સાંભળી લાલબંદ બની ગયો. એણે આવેશમાં આવીને કહ્યું :
વીરધર્મની પિછાન ઃ ૧૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org