________________
૪પ વીરધર્મની પિછાન
એક વાર ભગવાન પોલાસપુરમાં પધાર્યા. આ ગામમાં સદાલપુત્ર નામનો એક તત્ત્વનો વેત્તા, વાદપરાયણ કુંભાર રહેતો હતો. એ ગોશાલકના આજીવક મતનો ઉપાશક હતો. એ કહેતો કે માત્ર આજીવક મત જ પરમાર્થ છે, બાકી બીજા મત અનર્થ છે. '
સદ્દાલપુત્ર પાસે દશ હજાર ગાયોનો એક વ્રજ, એક કોટી હિરણ્ય વિધાનમાં, એક વાપરમાં ને એક વ્યાજમાં હતી. પાંચસો એનાં હાટ હતાં.
એક વાર એ અશોકવાટિકામાં હતો, ત્યાં કોઈએ ખબર આપ્યા કે સર્વજ્ઞ પધાર્યા છે. સદાલપુત્ર સમજ્યો કે પોતાના મહાગુરુ ગોશાલક પધાર્યા હશે, એ દોડ્યો, પણ જઈને જોયું તો શ્રમણ ભગવાન મહાવીર !
એ ત્યાં બેઠો, અને ભગવાનનો ઉપદેશ સાંભળ્યો. ઉપદેશ સાંભળતાં એને શ્રદ્ધા થઈ. એણે પાસે જઈને ભગવાન મહાવીરને પોતાને ઘેર પધારવાનું આમંત્રણ આપ્યું.
ભગવાન મહાવીર બીજે દિવસે તેના ઘેર ગયા. સદાલપુત્ર એ વખતે પોતાના નકશીદાર ઘડાઓને કાળજીપૂર્વક તડકે મૂકતો હતો. એ વિનયી હતો. એણે ભગવાનને જોતાં જ તેમનું સ્વાગત કર્યું.
ભગવાને ત્યાં સ્થિર થતાં સ્વાભાવિક જ પ્રશ્ન કર્યો : સદાલપુત્ર ! આ ઘડા કેવી રીતે બન્યા ?”
૧૬ % ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org