________________
ધર્મપ્રચારકના રાહમાં જેમ ફૂલ હોય છે, તેમ કાંટા પણ હોય છે. ઘણી વાર ફૂલ કરતાં તેઓને કાંટાનો સામનો વધુ કરવાનો હોય છે. જ્યારે પોતાના જ માણસો પોતાને સમજતા નથી, ત્યારે તેમની ગેરસમજ ભારે ગરબડ ખડી કરે છે.
૪૮
ફૂલ અને કાંટા
ગોશાલકના પ્રસંગમાં આવી ઘટના બની હતી. એવી જ ઘટના આર્ય જમાલિની બાબતમાં બની ગઈ.
વાત એવી હતી કે જમાલિમાં પૂર્વનો ઉત્સાહ નહોતો રહ્યો. અંતિમ કક્ષાનાં તપત્યાગે એને ડગાવી દીધો હતો. એક વાર એણે ભગવાનને કહ્યું : ‘પ્રભો ! હું મારા અનુયાયીઓ સાથે અન્યત્ર વિહાર કરવા ઇચ્છું છું.'
ભગવાને કંઈ જવાબ ન આપ્યો. જમાલિએ બીજી વાર પ્રશ્ન કર્યો. તોય જવાબ ન મળ્યો. ત્રીજી વાર પૂછ્યું તોય ભગવાન નિરુત્તર રહ્યા.
જમાલિ ભગવાનના મૌનને સંમતિસૂચક માની જુદો પડી ગયો. જમાલિ સાથે તેની પત્ની પ્રિયદર્શના (ભગવાન મહાવીરની સંસારી પુત્રી) પણ પોતાના સાધ્વીસંઘ સાથે છૂટી પડી !
ભગવાને તોય મૌન સેવ્યું. જમાલિએ પોતાનો જુદો ચોતરો જમાવ્યો. એક દિવસ એણે પોતાના શિષ્યોને કહ્યું :
‘મારે માટે પથારી કરો.’
ફૂલ અને કાંટા ૭ ૨૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org