________________
એ જ વખતે ભગવાન મહાવીર રાજગૃહમાં પધાર્યા. ધન્ય શેઠ તેમની પાસે જઈ દીક્ષિત બન્યો. આ સમાચાર શાલિભદ્રને મળતાં એ પણ તરત તેને અનુસર્યો.
શાલિભદ્રની દીક્ષાએ ત્યાગનો ડંકો વગડાવી દીધો. ભગવાને કેવળજ્ઞાન પછીનું ચોથું ચોમાસું આ નગરીમાં વિતાવ્યું.
ભગવાનનો ઉપદેશ શ્રવણ કરનાર, ને શ્રવણ કરીને એ માર્ગને અનુસરવાની સંખ્યા વધવા લાગી.
ત્યાગ અને તપની આ હવાએ આખા દેશના માનસને ફેરવી નાખ્યું.
ત્યાગની હવા જ ૧૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org