________________
૪૪
યુદ્ધ અટક્યું
ભગવાન ફરી એક વાર કૌશાંબીમાં આવ્યા, પણ આ વખતના કૌશાંબીની સ્થિતિ ખરાબ હતી. ઉર્જનીનો રાજા પ્રદ્યોત મોટી સેના સાથે એના પર ચઢી આવ્યો હતો. કૌશાંબીનો રાજા ઉદયન હજી નાનો હતો. રાણી મૃગાવતી એના વતી રાજ ચલાવતી હતી. ઉજ્જૈનીની સેના સામે કૌશાંબી ટકી શકે તેમ નહોતું. સહુ કૌશાંબીવાસીઓએ કેસરિયાં કરવાનો નિર્ણય કર્યો હતો.
ઉજ્જૈનીનો રાજા પ્રદ્યોત બહુ ક્રોધી ને ભયંકર હતો. એથી એ ચંડપ્રદ્યોતને નામે ઓળખાતો. એણે નિર્દોષ કૌશાંબીવાસીઓ સામે દયા દાખવતાં એક શરત મૂકી : “જો રાણી મૃગાવતી મારો સ્વીકાર કરે તો હું પાછો ફરી જાઉં. તમારી નગરીને ઊની આંચ પણ નહીં આવે. નહીં તો તમે મને જાણો છો : પટ્ટણ સો દટ્ટણ થશે.'
કૌશાંબીવાસીઓ આનો ખૂબ કડક જવાબ વાળવા માગતા હતા, પણ રાણી મૃગાવતીએ એ કામની બધી જવાબદારી પોતે ઉપાડી લીધી. એણે આડે લાકડે આડા વેહ, જેવું કામ કર્યું. એણે કહેવરાવ્યું :
“પતિશોક તાજો છે. રાજવ્યવસ્થા ઠીક કરવાની છે. ઉદયન બાળક છે. રાજ તો ઘીના ઘડા જેવું છે. અનેક બિલાડીઓ તકની રાહ જોઈને બેઠી હોય છે. એની ગોઠવણ કરી લઉં. થોડું થોભો.'
કહેવત છે, કે ઘુવડ દિવસે જોઈ શકતું નથી, કબૂતર રાતે જોઈ શકતું નથી; પણ કામી જન તો રાતે કે દિવસે કંઈ જોઈ શકતો નથી. ચંડપ્રદ્યોતે એ
૧૯૪
ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org