________________
રાજા શ્રેણિક ઉદાર દિલનો હતો. સામે પગલે ભદ્રા શેઠાણીને ત્યાં આવ્યો. માતા, ઉપરના માળ પર બેઠેલા પુત્રને બોલાવવા ગઈ. પુત્રે કહ્યું : મા! એમાં મને શું પૂછે છે ? જે જોઈએ તે આપીને એને ખુશ કર !”
પણ બેટા ! એ તો આપણા સ્વામી છે, રાજા છે, આપણું સારું-નરસું કરવાના અધિકારી છે, પણ ઉદાર છે. તને રાજસભામાં બોલાવ્યો હતો. તારે જવું જ જોઈએ. છતાં મારી વિનંતીથી એ અહીં આવ્યા છે. તો સામે ચાલીને સત્કાર કર !'
શાલિભદ્રને આ શબ્દોની ઠેસ વાગી રે ! આટઆટલું હોવા છતાં, એ કંઈ જ નથી ! એક રાજા ધારે તો કાલે હું રસ્તા પરનો ભિખારી બની જાઉં ? એવા ધનનો ગર્વ શો ? એ નાશવંત ધનને કરવું શું? પરાધીન જીવનમાં સુખ શું? રાજાની મહેરબાની પર મારી સંપત્તિનો આધાર ? એની કૃપા પર મારું સુખ ? ન ખપે એ મને !”
શાલિભદ્રના સુંવાળા જીવનમાં એક કાંટો પેસી ગયો. એ એને વારંવાર પીડવા લાગ્યો.
એવામાં નગરમાં ધર્મઘોષ મુનિ આવ્યા. એમણે રાજાના પણ રાજા થવાનો મુનિમાર્ગ દર્શાવ્યો. શાલિભદ્રના દિલમાં એ વાત ઊતરી ગઈ.
એ ધીમે ધીમે લૌકિક સંપત્તિ તરફ જવા માટે તૈયારી કરવા લાગ્યો – એવી સંપત્તિ કે જેને રાજા કે ચક્રવર્તી પણ છીનવી ન શકે.
આ જ નગરમાં શાલિભદ્રનો બનેવી ધન્યશ્રેષ્ઠી વસતો હતો. એણે પોતાની પત્નીના મુખેથી શાલિભદ્રના ત્યાગની વાત સાંભળી, ને જરા મશ્કરી કરી : “વિષ કંઈ ધીરે ધીરે છોડાય ? એ તો એકધડાકે છોડવું ઘટે.'
શાલિભદ્રની બહેને પોતાના ભાઈનો પક્ષ લેતાં ટોણો માર્યો :
પારકાને ઉપદેશ દેનારા તો ઘણા પંડિતો મેં જોયા છે, પણ કહેવા ને કરવામાં ફેર છે, હોં.'
ધન્ય શેઠને આ વચન હાડોહાડ લાગી ગયું.
૧૨ % ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org