________________
૪૩
ત્યાગની હવા
ત્યાગ અને તપની આ નવી હવાથી ભારતવર્ષનું ઘર ઘર ગુંજી રહ્યું. રાજાઓ રાજમહેલો છોડી, અમાત્યો અધિકાર છાંડી, શેઠિયાઓ સોનું-રૂપું ને સ્ત્રીઓ તૃણવત સમજી શ્રમણસંઘમાં ભળવા લાગ્યાં. જ્યાં દેહની આળપંપાળની વાતો હતી, ત્યાં આત્મવિજય માટે પ્રયાણ કરવાનાં ડંકાનિશાન ગગડવા લાગ્યાં.
રણયોદ્ધાની જેમ સ્ત્રી-પુરુષો સર્વસ્વ ત્યાગ કરી, દીક્ષિત થવા લાગ્યાં, ને જીવ સાટે તપ, ત્યાગ ને ધર્મને પાળવા લાગ્યાં. ભગવાનને ત્યાં તો બારે . દરવાજા ખુલ્લા હતા. આત્મકલ્યાણની ભાવનાની જ ત્યાં કદર થતી; કાળાધોળાનો, ઊંચ-નીચનો, રંક-રાયનો ભેદ ત્યાં નહોતો.
એ વખતે રાજગૃહમાં જ એક ધ્યાન ખેંચે તેવો બનાવ બન્યો. જેણે સાંભળ્યું એ હાથ જીભ કાઢી ગયા. કહેનારા કહી રહ્યા, પણ સાંભળનારાને શ્રદ્ધા ન પડી.
વાત એવી હતી, કે આ નગરમાં ગોભદ્ર નામનો એક શેઠ રહેતો હતો. તેને ભદ્રા નામની પત્ની હતી, શાલિભદ્ર નામનો પુત્ર હતો. ગોભદ્ર શેઠની સંપત્તિની ગણતરી થઈ શકે તેમ નહોતી. તેઓને શાલિભદ્ર એકનો એક પુત્ર હોવાથી બહુ લાડકોડમાં ઉછેર્યો હતો. પાણી માગ્યું ત્યાં દૂધ આપ્યું હતું. અત્યંત સુખમાં એ દુનિયાદારીથી સાવ અજાણ રહ્યો. એ પૃથ્વી પર સ્વર્ગનું સુખ ભોગવતો હતો.
Jain Education International
For Private & Personal Use Only
૧૯૦ ૭ ભગવાન મહાવીર
www.jainelibrary.org