________________
જવાબથી ખુશી થઈ ભગવાન પાસે જયન્તીએ સાધ્વીપદ સ્વીકાર્યું. આર્યા ચંદનબાળાની સંભાળ નીચે એ આત્મકલ્યાણ સાધવા લાગી.
અહીંથી ભગવાન શ્રાવસ્તી નગરીમાં ગયા. અહીં સુમનોભદ્ર ને સુપ્રતિષ્ઠા નામના બે ગૃહસ્થોએ દીક્ષા સ્વીકારી. ત્યાંથી પોતાની જન્મભૂમિમાં આવતાં, વાણિજ્યગ્રામના આનંદ નામના ગૃહપતિએ તેમનો ઉપદેશ સ્વીકાર્યો, ને એ શ્રમણોપાસક બન્યો.
આનંદ ગૃહપતિ સુખી માણસ હતો. એની પાસે ચાર કોટિ હિરણ્ય નિધાનમાં, ચાર કોટિ વ્યાજે ને ચાર કોટિ ઘરના વપરાશમાં હતું. ઉપરાંત દશ હજાર ગાયોનો એક વ્રજ, એવા ચાર વ્રજ હતા. એ સાર્થવાહોનો સલાહકાર, કુટુંબમાં ડાહ્યો ને પાંચમાં પુછાય તેવો હતો. તેને શિવાનંદા નામે પત્ની હતી. પતિ-પત્ની બંને બારવ્રત સ્વીકારી શ્રાવક બન્યાં.
જયન્તીના પ્રશ્નો ૮ ૧૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org