________________
ખબર. એક કોડીના મોહ માટે મારી લાખેણી મૂડી નષ્ટ ન કર !”
મેઘનો નિશ્ચય દૃઢ હતો. આ જોઈ આખરે માતાએ કહ્યું : “પુત્ર ! બીજું તો કંઈ નહિ, એક દિવસનું પણ રાજ ભોગવીને તું દીક્ષિત થા, તો મારું-માતાનું મન સંતુષ્ટ થાય !”
પુત્ર કબૂલ થયો. માતાના મનમાં હતું કે મેઘ બાળક છે. રાજાની સાહ્યબીસત્તા જોઈ એ લોભાઈ જશે. રાજા શ્રેણિકે મેઘનો રાજ્યાભિષેક કર્યો. એક દિવસની કુલ રાજસત્તા તેને આપી.
- સમી સાંજે રાજસિંહાસન પરથી મેઘે હુકમ ર્યો : “અરે ! હું રાજપદ પામીને, હવે હીન પદ સ્વીકારી જીવવા માગતો નથી. સાધુનો વેશ લાવો. સાધુ થઈને હું રાજાનો પણ રાજા થઈશ.”
આમ મેઘ સીધો રાજસિંહાસન પરથી ઊતરીને ભગવાન મહાવીર પાસે પહોંચ્યો. ભગવાનનો ઉતારો ગણશીલ ચૈત્યમાં હતો. ત્યાં તે દીક્ષિત થયો.
પણ ઉપદેશ સાંભળવો ને આચરવો-બેમાં કેટલો ફરક છે, તે પહેલી રાતે જ મેઘને સમજાઈ ગયું. સાધુ થવું લોઢાના ચણા ચાવવા જેવું લાગ્યું. નાના સાધુ તરીકે ઠેઠ ઝાંપા પાસે મેઘને સૂવાનું હતું- ત્યાંથી જ બધા સાધુઓ આવજા કરતા હતા. આમ જા-આવથી મેઘની કંબલ રજથી ભરાઈ ગઈ. ક્યાં રાજમહેલની સુંવાળી શય્યાઓ અને ક્યાં આ ચૈત્યના છેવાડે પડેલી રજોટાયેલી કંબલ ! એ તો આખી રાત ઊંઘી ન શક્યો.
એક રાતમાં એ કંટાળી ગયો. એણે વિચાર્યું : “સર્યું આવી સાધુતાથી. સવારે રજા લઈ ઘેર ચાલ્યો જઈશ.”
સવાર થતાં જ મેઘ મહાવીર પાસે ફરિયાદ કરવા ગયો. ભગવાન મહાવીરે તેને પાસે બેસાડી એક કથા કહી.
વિંધ્યાચળ નામનો પર્વત છે. ત્યાં મોટાં મોટાં જંગલો છે. એમાં હાથીઓ વસે છે. એમાં મેરુપ્રભ નામનો હાથી છે. પાંચસો હાથણીઓનો એ માલિક છે.”
એક વાર જંગલમાં દવ લાગ્યો, લીલાં ઝાડ અગરબત્તીની જેમ બળવા લાગ્યાં. આમ ઘણા હાથીઓ મરણ પામ્યા. આ ભયંકર હોનારત જોઈ મેરુપ્રત્યે પશુથીય હીન તું? # ૧૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org