________________
વિચાર્યું કે એક મેદાન એવું સાફ કરી રાખું, કે આવા વખતે બધા હાથીઓ ત્યાં જઈને સુખે રહે.
એણે એક વિશાળ મેદાન શોધી કાઢ્યું, ઝાડપાન સાફ કરી નાખ્યાં, ઘાસનું તરણું પણ ન રહેવા દીધું.
કાળક્રમે વળી જંગલમાં દવ લાગ્યો, પણ આ વખતે પેલું મેદાન તૈયાર હતું. મેરુપ્રભ બધા હાથીઓ સાથે ત્યાં પહોંચી ગયો. હાથીઓ ઉપરાંત સિંહ, વાઘ, સસલાં વગેરે જાનવરો જીવ બચાવવા ત્યાં દોડી આવ્યાં. જરા પણ જગ્યા ખાલી ન રહી.
મેરુપ્રભ આ બધું નીરખી રહ્યો. કર્યાનો એને સંતોષ થયો. કેટલા બધા જીવ બચ્ય ! એવામાં એને ચળ આવી, ખણવા માટે એણે પગ ઊંચો કર્યો, પણ પછી જેવો પગ નીચે મૂકવા જાય છે, તેવું જોયું તો એક સસલું તે જગ્યાએ આવીને બેસી ગયેલું. - મેરુપ્રભને દયા આવી. એણે પગ ઊંચો ને ઊંચો રાખ્યો. દવ ત્રણ દિવસ ચાલ્યો. ત્રણ દિવસે દવ બુઝાતાં બધાં પ્રાણીઓ ચાલ્યાં ગયાં. મેરુપ્રભ પણ જેવો પગ નીચે મૂકવા ગયો, કે સાંધા અકડાઈ ગયેલા, એટલે પૃથ્વી પર પટકાયો. ભારે વજનની કાયાનો ભાંગીને ભુક્કો થઈ ગયો. ભૂખ-તરસ સહન કરતો દયાભાવવાળો મેરુપ્રભ હાથી ત્યાં મરણ પામ્યો.
ભગવાને આ કથા પૂરી કરતાં કહ્યું :
“હે મેઘ ! એ મેરુપ્રભ હાથી તે તું ! પશુના જન્મમાં તેં આટલું સહન કર્યું, તો મનુષ્યના ભવમાં કાં હારી જા !'
મેઘ સમજ્યો, શરમાયો ને પ્રભુચરણમાં ઢળી પડ્યો.
૧૮૬ % ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org