________________
૪૧
પશુથીયે હીન તું ?
રાજગૃહની આ ધર્મસભામાં અનેક રાજકુમારોએ, અંતઃપુરની અનેક રાણીઓએ સંસારત્યાગ કરી સંન્યાસ સ્વીકાર્યો. આ સભામાં શ્રેણિકનો પુત્ર કુમાર મેઘ પણ હતો. એ રાજા શ્રેણિકની ધારિણી નામની રાણીનો પુત્ર હતો. ધારિણીને એ એકનો એક પુત્ર હતો.
કુમાર મેઘને ભગવાનનો ઉપદેશ મનમાં વસી ગયો. એણે ભગવાનને
કહ્યું :
હૈ ઉદ્ધારક ! હું અતિથિ માટે પાળેલા ઘેટા જેવો નથી, કે રાજસુખમાં મગ્ન બની, મૃત્યુને ભૂલી જાઉં. તેમ જ કાણી કોડી જેવા સંસાર માટે ૯૯૯ રૂપિયા જેવા આત્માને ખોઈ દઉં, તેવો બેવકૂફ પણ નથી. વળી કેરી ખાઈને મરનાર રાજાની જેમ કામ-ભોગો પાછળ જીવ આપી દઉં, તેવો પણ નથી. હું પેલા ત્રણ વેપા૨ીઓમાંનો પહેલો વેપારી બનવા ચાહું છું. હું મારાં માતાપિતાની મંજૂરી લઈ આવું; પછી દીક્ષિત થવા ઇચ્છું છું.’
મેઘ ઝટપટ ઘેર આવ્યો, એણે માતાને કહ્યું : ‘મા ! ભગવાનનો ઉપદેશ મેં સાંભળ્યો. મને ગમ્યો. મારે અનગાર થવું છે. મને રજા આપ !’
મા આ સાંભળીને એકદમ બેભાન બની પૃથ્વી પર ઢળી પડી. એણે થોડી વારે શુદ્ધિમાં આવતાં કહ્યું : ‘બેટા ! મોટો થા. વંશવેલો વધાર. અમને લીલી વાડી જોઈને જવા દે. પછી તારી મરજી પડે તેમ કર !'
મેઘ બોલ્યો : ‘મા, જીવન ચંચળ છે. હું કે તું-કોણ પહેલું જશે, તેની કોને
૧૮૪ શ્રી ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org