________________
ભગવાન મહાવીરના અનુયાયી અનેક રાજાઓ હતા. તેમાં કેટલાક શ્રમણોપાસક હતા, તો કેટલાક નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા ધરાવનારા હતા. આ બંને પ્રકારના રાજવીઓમાં મગધના રાજવી શ્રેણિક-બિંબિસાર સહુથી આગળ
પડતા હતા.
૪૦
સાદી વાત, સાદો વિવેક
ભગવાનની ઉપદેશ પદ્ધતિ ‘જ્ઞાતશૈલી' એટલે દૃષ્ટાંત દ્વારા વાત સમજાવવાની હતી. રાજગૃહના ચોમાસામાં એમણે આવી કેટલીક કથાઓ કહી. એક વાર એમણે કહ્યું :
કેટલાક લોકો અતિથિ માટે ઘેટો પાળે છે. ઘેટાને ખૂબ લાડ લડાવે છે. સારો સારો ઘાસ-પાલો ખવડાવે છે. ચોળા ને જવસ ખવડાવી હૃષ્ટપુષ્ટ બનાવે છે. ઘેટો ખાય છે, ને મોજ કરે છે. એ મોટી કાયાવાળો અને મોટા પેટવાળો થાય છે.
ઘેટો માને છે કે મારા જીવનમાં આનંદ છે; લહેર છે, મોજ છે, મસ્ત થઈને ખાવા-પીવાનું છે. બીજાં ઘેટાં જુઓ ને કેવાં રખડે છે ! કેવાં ભૂખે મરે છે !
એવામાં ઘરધણીને ત્યાં અતિથિ આવે છે.
ઘરધણી રાતા-માતા ઘેટાને પકડે છે, બાંધે છે, ને એનો વધ કરે છે. ઝીણા ઝીણા કકડા કરી સ્વાદિષ્ટ વાની બનાવે છે. ઘેટાને મરતી વખતે અતિથિ આવ્યાનો શોક થાય છે !
સાદી વાત, સાદો વિવેક આ ૧૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org