________________
પણ જો જરા ઊંડા ઊતરીને વિચાર કરો, કે ઘડપણરૂપી અતિથિ કોને નથી આવતો ? ને મૃત્યુરૂપી છૂરી કોને હલાલ નથી કરતી ? એ અતિથિ ને છૂરી આવ્યા પહેલાં જે ચેતે તે ખરો ચેત્યો કહેવાય !
*
ભગવાને એક કોડી સાટુ ૯૯૯ રૂપિયા ખોનારનું દૃષ્ટાંત આપ્યું.
‘એક માણસ કમાવા માટે પરદેશ ગયો. ખૂબ મહેનત કરીને એ હજાર રૂપિયા કમાયો. એ હવે સારા સથવા૨ા સાથે ઘેર આવવા નીકળ્યો. એક હજા૨ રૂપિયામાંથી એક રૂપિયો જુદો રાખ્યો, ને ૯૯૯ વાંસળીમાં નાખી કેડે બાંધ્યા.
એક રૂપિયાની એણે સો કોડીઓ લીધી. અને નક્કી કહ્યું કે આ સો કોડીમાં પ્રવાસખર્ચ પતાવવો. ધીરે ધીરે એણે રસ્તો કાપી નાખ્યો. હવે ગામ થોડેક દૂર રહેતાં, એ એક ઠેકાણે ખાવા બેઠો. ત્યાં પોતાની પાસેની એક કોડી ભૂલી ગયો.
એ આગળ વધ્યો. માર્ગમાં તેને યાદ આવ્યું કે તે એક કોડી પાછળ ભૂલતો આવ્યો છે; ને હવે એક કોડી માટે વળી નવો રૂપિયો વટાવવો પડશે.
પણ કેડે ૯૯૯ રૂપિયાનું જોખમ હતું. એ લઈને એકલા પાછા ફરવું ઠીક નહોતું. એણે એક ઠેકાણે ખાડો ખોદી રૂપિયા દાઢ્યા, ને કોડી લેવા હાંફળોફાંફળો પાછો ફર્યો.
દોડતો પેલા સ્થળે ગયો, પણ ત્યાં કોડી ન જડી.
દોડતો પાછો પોતાના સ્થળે આવ્યો. ત્યાં દાટેલા રૂપિયા કોઈ કાઢી ગયેલું. એની તો કોડીય ગઈ, ને ૯૯૯ રૂપિયા પણ ગયા.
આમ એક કોડી સાટુ ૯૯૯ રૂપિયા ખોનારાની જેમ, દેહ ખાતર આત્મા ખોનારાઓએ વિચાર કરવા જેવો છે.
*
એમણે એક કેરી ખાનારનું દૃષ્ટાંત આપ્યું :
એક રાજાને કેરી ખાવાનો ઘણો શોખ. બહુ કેરી ખાવાથી તેને વિપૂચિકા (કૉલેરા)નો રોગ થયો. વૈદે તેને દવા આપી સાજો કર્યો, પણ સાથે ચેતવણી આપી કે હવે કેરી ખાશો તો જીવ ખોશો અને રાજ્ય ખોશો. રાજાએ થોડા દિવસ વૈદનું કહેવું માન્યું.
Jain Education International
For Private & Personal Use Only
૧૮૨ * ભગવાન મહાવીર
www.jainelibrary.org