________________
ચાતક ચંદ્રને નીરખી રહે, એમ દેવાનંદા ભગવાન મહાવીરને નીરખી રહી હતી. દેવ જેને આજે નમતા-ભજતા, રાજરાજેશ્વરના મુગટ જેના ચરણમાં ઝૂકતા, એ ભગવાન મહાવીરને આ નારી પુત્રભાવ જેવા ભાવે કાં નિહાળી રહી છે ! એવામાં સ્ત્રીની છાતીમાંથી દૂધની ધારા વહી નીકળી !
આશ્ચર્ય ! આશ્ચર્યની અવધિ !
જ્ઞાની ગૌતમ આ દશ્ય બરાબર નીરખી રહ્યા હતા. ગુરુ સાથે કોઈ વાતનો એમને પડદો નહોતો. ગુરુને પણ પડદો રાખવા જેવું કંઈ નહોતું. એમનું જીવન પારદર્શક મણિ જેવું હતું. શ્રી ગૌતમે ભરી સભામાં ઊભા થઈને પ્રશ્ન કર્યો :
ભગવાન ! આ બ્રાહ્મણનારી દેવાનંદાને આપનાં દર્શન કરતાંની સાથે આટલો આનંદ કાં થયો ? એનાં નેત્રો આટલાં પ્રફુલ્લ કેમ બન્યાં ? એની છાતીમાંથી દૂધની ધારા કેમ વહી નીકળી ?”
ભગવાને એક વાર દેવાનંદા તરફ નજર નાખી પછી સભા સામે જોતાં સહજ ભાવે ને નિખાલસ રીતે ગૌતમને જવાબ વાળતાં કહ્યું :
ગૌતમ ! દેવાનંદા મારી માતા છે. હું એનો પુત્ર છું. દેવાનંદાના શરીરમાં જે ભાવ પ્રગટ થયો, તેનું કારણ પુત્રસ્નેહ છે !'
ભગવાન શું બ્રાહ્મણ-પુત્ર છે ? આખી સભા ભગવાનની આ વાણીથી આશ્ચર્યમાં પડી ગઈ, ને બ્રાહ્મણષી તરીકે જેઓ તેમની પિછાન કરાવતા, તે ઝાંખા પડી ગયા.”
એ સભામાં ઋષભદત્તે ઊભા થઈ કહ્યું : “હે મહાપ્રભુ ! જરા-મરણ, રાગ-શોકથી વ્યાકુલ આ સંસારથી મને તારો !'
ભગવાન ઋષભદત્તને દીક્ષા આપી.
રાજકુમાર જમાલિ પણ ઊભો થયો. એણે ભવતારિણી દીક્ષા આપવાની વિનંતી કરી. ભગવાને એનેય દીક્ષા આપી. એ સાધુતાને પંથે પળ્યો.
દેવાનંદા પણ આર્યા ચંદનાની આજ્ઞા નીચે સાધ્વી બન્યાં. ભગવાને એ આખું વર્ષ વિદેહમાં કાઢ્યું. ચોમાસું વૈશાલીમાં કર્યું.
૧૮૦ % ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org