________________
જનમભોમમાં
નિગ્રંથ ભગવાન મહાવીર પોતાના સમુદાય સાથે વિહાર કરતા આજે બ્રાહ્મણકુંડ ગ્રામમાં પધાર્યા હતા. આ વૈશાલીનું પરું બ્રાહ્મણોથી વસેલું હતું. પાસે ક્ષત્રિયકુંડ ગ્રામ હતું. એ ક્ષત્રિયોથી વસેલું હતું. ભગવાન મહાવીરની જનમભોમનું એ ગામ હતું.
બહુસાલ ઉદ્યાન આજે માણસોથી ચિક્કાર ભરાઈ ગયો હતો. છેલ્લા વખતથી ભગવાન બ્રાહ્મણવિરોધી વલણ દાખવે છે, એવો સર્વત્ર આક્ષેપ થતો હતો. યજ્ઞનો વિરોધ એનું મોટું પ્રમાણ હતું, પણ ભગવાન સ્વયં આજ બ્રાહ્મણોના પરમધામ બ્રાહ્મણકુંડ ગ્રામમાં આવીને ઊતર્યા, એથી સહુને આશ્ચર્ય થયું.
ભગવાને અહીં પોતાની શૈલી પ્રમાણે ઉપદેશ શરૂ કર્યો. આ સભામાં ભગવાનનો સંસારી જમાઈ રાજકુમાર જમાલિ હાજર હતો. બ્રાહ્મણકુંડગ્રામનો પ્રતિષ્ઠિત નાગરિક કોડાલગોત્રીય બ્રાહ્મણ ઋષભદત્ત પણ હાજર હતો. એની સુશીલ પત્ની દેવાનંદા પણ ઉપસ્થિત હતી. એ ભગવાનને એકીટશે નીરખી રહી હતી.
૩૯
અરે બ્રાહ્મણનારી ! તું મહાવીર સામે આમ એકીટશે શું નીરખી રહી છે ! એ ક્ષત્રિયપુત્ર છે. ને હમણાં તો વેદ, યજ્ઞ ને બલિનો વિરોધી બન્યો છે ! પણ દેવાનંદાના આનંદની સીમા નહોતી. એનો હર્ષ એના કાયાકચોળામાં સમાતો નહોતો. એના દેહની રોમરાજ પુલકિત બની ગઈ હતી.
જનમભોમમાં આ ૧૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org