________________
(૩૮
ગૃહસ્થનાં બાર વ્રત
જેઓ ગૃહત્યાગ કરી શકતા નથી, પણ નિગ્રંથ ભગવાનના માર્ગ પર શ્રદ્ધા ધરાવે છે. એવા માટે ભગવાને ગૃહસ્થ ધર્મ નિરૂપ્યો. ભગવાને અસ્થિક ગ્રામમાં સ્વપ્નમાં જોયેલી બે ફૂલમાળાનો અર્થ અહીં સાર્થક થયો.
શ્રમણો માટે પાંચ મહાવ્રત બનાવ્યાં. ગૃહસ્થો માટે તેમણે પાંચ અણુવ્રત ને સાત શિક્ષાવ્રત એમ બાર વત બતાવ્યાં :
૧. સ્થૂલ હિંસા ન કરવી : ગૃહસ્થપણાની મર્યાદા પાળતાં જે હિંસા અનિવાર્ય થાય, તે સિવાયની હિંસા ન કરવી. ૨. સ્થૂલ અસત્ય ન બોલવું, ૩. સ્થૂલ ચોરી ન કરવી, ૪. પોતાની સ્ત્રીથી પુરુષ ને સ્ત્રીએ પોતાના પતિથી સંતોષ રાખવો. ૫. ઇચ્છાઓની મર્યાદા રાખવી. જમીન, ઢોર, વાહન, વહાણ, રત્ન, માણિક્ય, સુવર્ણ વગેરેનું નિયમન કરવું.
સાત શિક્ષાવ્રત – દિગવ્રત : પ્રવૃત્તિની સીમા નક્કી કરવી.
ઉપભોગ-પરિભોગ-પરિમાણ : બહુ પાપવાળી વસ્તુઓ ન વાપરવી. ઓછાં પાપવાળી વસ્તુ ઉપભોગમાં લેવી. આમાં ખાન-પાન, વાસણ-કૂસણ, ને વસ્ત્ર-અલંકારનો તેમ જ વેપારવણજની વસ્તુની મર્યાદાનો સમાવેશ થાય છે.
અનર્થદંડ ત્યાગ : નિરર્થક પાપમાંથી પાછા હઠવું. સામાયિક વ્રત : અમુક સમય માટે, અન્ય પ્રવૃત્તિઓનો ત્યાગ કરી
ગૃહસ્થનાં બાર વ્રત છે. ૧૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org