________________
39
નિર્ગથ સાધુ
ભગવાને પોતાના શાસનસંઘનાં અનુયાયી શ્રમણ-શ્રમણી વિશે કહ્યું :
મારા શાસનનો નિગ્રંથ સાધુ મુક્ત મનનો, ઉદાર વિચારનો ને અહિંસાના વ્રતવાળો હશે. સંસારની, મનની, સંબંધની, મોટાઈની કોઈ ગ્રંથિ-ગાંઠ એને પડશે નહિ. એ સાચા અર્થમાં નિગ્રંથ હશે.
એ સતત જાગ્રત હશે, સૂતાં, ઊઠતાં, બેસતાં ક્ષણનો પણ પ્રમાદ નહિ કરે. એને ઘર નહિ હોય એ અનગાર હશે. એ ભિક્ષુ હશે. ભિક્ષા એનું ભોજન હશે.
પોતાના માટે બનેલું ભોજન એ નહિ લે. રાતે ભોજન નહિ લે. ફૂલ પરથી ભમરો રસ ચૂસે ઠેર ઠેર ગોચરોમાંથી ગાય કોળિયા ભરે એમ એ ભિક્ષા લેશે. એ ગોચરી કહેવાશે.
એ વસ્ત્રની અપેક્ષાથી દૂર હશે. સાથે એ કાચબાની જેમ અંગો છુપાવીને ચાલશે.
આમ સંસારમાં અન્ન, વસ્ત્ર ને આશ્રય માટે માણસ અનેક જણાની લાચારી કરે છે. એ લાચારીમાંથી નિગ્રંથ સાધુ મુક્ત હશે.
નિગ્રંથ સાધુ સ્ત્રી-પરિચયથી દૂર, નિગ્રંથ સાધ્વી પુરુષ-પરિચયથી દૂર ને દ્રવ્યથી સાવ વિમુખ રહેશે. પરસ્પરનો સ્પર્શ પણ એમને વર્ય હશે.
પગપાળા સદા એનો પ્રવાસ હશે. વાહન-હીન હોવાથી એ રથ, ગાડું કે અશ્વની અપેક્ષા નહિ રાખે.
૧૭૨ ૮ ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org