________________
પગમાં ઉપાનધહીન હોવાથી એ મોચીને નહિ ખોજે. વસ્ત્રહીન હોવાથી એ વણકરને નહિ ખોજે. હાથે કેશ ગૂંચનાર હોવાથી એને નાઈની જરૂર નહિ રહે. એનું જીવન પરાધીન નહિ, પણ સ્વાધીન-સ્વતંત્ર હશે.
એ પગે ચાલશે, ભલે માર્ગ સારા ને સ્વચ્છ ન હોય.
એના માર્ગમાં હિંસક જંતુઓથી ભરેલાં જંગલો આવશે. એને દુર્ગમ પર્વતો પગની તાકાત પર ઉલ્લંઘવા પડશે. એને ભયંકર નદીઓ પાર કરવી પડશે. રેગિસ્તાનને વીંધવું પડશે.
ઝાડ ને ઝાડી, કાંટા ને પથ્થર, ખાઈ ને ખાડા એના માર્ગમાં હશે, પણ ભિક્ષુને એ થંભાવી નહિ શકે.
એ દુર્ગમ માર્ગને સુખદ સમજશે. દુઃખને–વિપત્તિને આત્મોપકારક સુખ માનશે. માર્ગમાં ચોરપલ્લીઓ આવશે, નિર્ગથ એના ઉપદ્રવ શાંતિથી સહન કરશે.
માર્ગમાં અરાજકતાવાળા દેશ આવશે. એ સાધુને બહુ દુઃખ દેશે, પણ સાધુની કૂચ કોઈ ખાળી નહિ શકે. એ માથું આપશે, પણ મુનિપણું નહિ આપે.
માર્ગમાં લડાઈનાં રણક્ષેત્રો આવશે. સાચો સાધુ વેશધારી લેખાશે. જાસૂસ માનીને ઝડપાશે. વિધર્મી રાજાઓ સાધુને સંતાપશે : પણ સાધુ નિર્મળ મન ને સબળ દેહે આગળ વધશે.
એ કદી પોતાની પિછાન આપવા પ્રયત્ન નહિ કરે. એ ઓળખાણનો લાભ નહિ લે. એ ગામબહાર વસ્તીમાં ઊતરશે. ત્યાં સાપ, વીંછી, મચ્છર, કીડી ને કૂતરા સાધુને હેરાન કરવા આવશે.
સાધુ એ સ્થિતિમાં જે પરિસ્થિતિ ઊભી થાય તેને પ્રેમથી વેઠશે. પરિસ્થિતિથી પરાજય એ નહિ સ્વીકારે.
દુષ્કાળ આવશે ત્યારે નિગ્રંથ સાધુ નિર્વાહ માટે ફાંફાં નહિ મારે. એને મૃત્યુની ફિકર નહિ હોય, જીવનની હાયવોય નહિ હોય. એ તો સતત ધર્મરક્ષાનો ને ધર્મપ્રચારનો જ વિચાર કરશે.
તપસ્વી સાધુ દેહદમનથી નહિ ડરે ! કદાચ એક વાર તપ, ત્યાગ ને તિતિક્ષા પાછળ પગ ને જંઘા સુકાઈને કૂકડાના પગ જેવી થઈ જશે, પેટ ને પીઠ એકબીજાને બે ચામડાની કોથળીની જેમ મળી જશે, એકએક હાડકાં ગણી
નિગ્રંથ સાધુ % ૧૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org