________________
૩પ ચતુર્વિધ સંઘ
ભગવાન મહાવીરને અપાપા નગરીમાં ૧૧ મહાન બ્રાહ્મણ શિષ્યો, અને ૪૪૦૦ એમના શિષ્યો અનુયાયી તરીકે મળ્યા. ભગવાનની ઇચ્છા હવે તીર્થ પ્રવર્તાવવાની થઈ. તેમણે તે માટે ચતુર્વિધ સંઘની રચના કરી.
ઇંદ્રભૂતિ ગૌતમ આદિ ૧૧ શિષ્યોને ગણધર બનાવ્યા. ને તેમના શિષ્યગણને તેમના શિષ્ય તરીકે રાખ્યા. આમ સાધુ સંસ્થા સ્થાપી.
કૌશાંબીમાંથી દાસીપણામાંથી મુક્ત થયેલી ચંદનબાળા પણ આ સભામાં હાજર હતી. ભગવાને એને દીક્ષા આપી, ને સાધ્વી સમુદાયની સ્થાપના કરી.
આ સભામાં અનેક પુરુષો ને સ્ત્રીઓ હતાં, જેઓ સાધુપદ સ્વીકારવા તૈયાર નહોતાં : પણ ભગવાનના ઉપદેશમાં શ્રદ્ધા ધરાવનાર ને યથાશક્તિ આચરણ કરવા તત્પર હતાં, તેઓને પણ તેમણે શ્રમણોપાસક ને શ્રમણોપાસિકા તરીકે પોતાના સંઘમાં સમાવ્યાં. શ્રમણોપાસકો અને શ્રમણોપાસિકાઓ શ્રાવકશ્રાવિકા કહેવાયાં. આમ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ સ્થાપ્યો.
ભગવાન મહાવીરે પ્રવર્તાવેલા પાંચ મહાવ્રતોવાળા શાસનનું સુકાન આ ચતુર્વિધ સંઘને સોંપવામાં આવ્યું.
ચતુર્વિધ સંઘ % ૧૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org