________________
ભગવાને જ્ઞાતશૈલીમાં કહ્યું : ‘આત્મા બે પ્રકારના છે : એક જે તપધ્યાન-યોગ-અનુષ્ઠાનાદિથી સંપૂર્ણ કર્મથી મુક્ત થાય છે તે; તે સિદ્ધ કહેવાય. એ સર્વથા બંધ-વિહીન છે. અને બીજા જે આત્માઓ સારાં-ભલાં કર્મો કરી જુદી જુદી ગતિઓમાં ભમે છે તે; સંસારી કહેવાય છે. એને બંધ અને મોક્ષ બંને છે.’
સાતમા પંડિત મૌર્યપુત્રની શંકાનો જવાબ વાળતાં ભગવાને કહ્યું :
‘તું એમ માને છે, કે દેવ નથી. ઉત્તમ પુરુષ એ જ દેવ છે, પણ એ ખોટું છે. દુનિયામાં સુખ છે, પણ દુ:ખમિશ્રિત છે. દુઃખ છે, પણ સુમિશ્રિત છે, તો નિખાલસ સુખભોગીની ને નિખાલસ દુઃખભોગીની પરાકાષ્ઠા ક્યાંક હોવી જોઈએ. એ સુખભોગીની પરાકાષ્ઠા તે દેવત્વ. દુઃખભોગીની પરાકાષ્ઠા એ નરકત્વ. અલબત્ત, ઉપચારથી ઉત્તમ પ્રકૃતિવાળો ને ગુણી માણસ દેવ કહેવાય, પણ ઉત્પત્તિથી તો દેવલોકનો આત્મા જ દેવ ગણાય.'
આર્ય અકંપિતના નરક વિશેના સંદેહને દૂર કરતાં ભગવાન બોલ્યા : ‘તું મનુષ્યની નિકૃષ્ટ અવસ્થાને નરક માને છે : પણ તે ઠીક નથી. મનુષ્ય ગમે તેટલો દુ:ખી હોય, પણ તેમાં સુખનો અંશ રહેલો છે. જે જીવનપર્યંત હિંસા, ચોરી, જૂઠ, વ્યભિચાર કરે છે, એની સજા શું આટલી ને આવી હલકી અવસ્થા છે ? તો તો લોકોને સત્ય, પ્રેમ ને સદાચાર પર શ્રદ્ધા જ ન રહે. કુદરતના ત્રાજવામાં પૂરેપૂરો ન્યાય છે. અનાચારી, અત્યાચારી કદાચ આ ભવમાં દુઃખ ન પામે, પણ તેને માટે ભવ-ભવાંતરે પણ જ્યાં દુ:ખની પરાકાષ્ઠા હોય તેવું સ્થાન નક્કી છે. અને એનું નામ નરક.’
પંડિત અચલભ્રાતાનો સંદેહ વ્યક્ત કરતાં ભગવાને કહ્યું :
‘હે પવિત્ર બ્રાહ્મણ ! તું એમ માને છે, કે જગતમાં આ પુણ્ય, આ પાપ એ નાહક ભેદ ખડા કરવામાં આવ્યાં છે. જગતમાં બને તેટલો પુરુષાર્થ કરવો ને સુખ મેળવવું. એમાં પુણ્ય-પાપની વાત આડે ન લાવવી, પણ તારી આ માન્યતા બરાબર નથી. કેટલાક જીવો અત્યંત પુરુષાર્થ કરે છે, છતાં પરિણામમાં દુ:ખ મેળવે છે. કેટલાક હાથપગ પણ હલાવતા નથી, ને અમનચામન ઉડાવે છે. આનું કારણ શું ? એનું કારણ પુણ્ય-પાપ-આ જન્મ કે પૂર્વજન્મનાં કર્મ ! કર્મના કે ચોપડામાં જમે-ઉધાર ખોટું થતું નથી !'
આ પછી પંડિત મેતાર્યનો પુનર્જન્મનો ભ્રમ દૂર કર્યો. પંડિત પ્રભાસનો પૂંછડે અટકેલા હાથી ૫ ૧૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org