________________
વાયુભૂતિ ઇન્દ્રભૂતિના ત્રીજા ભાઈ હતા. એમને ભગવાને કહ્યું “પુનર્જન્મ વિશે તારી શંકા છે. તે માને છે કે શરીરથી ભિન્ન કોઈ આત્મા નથી. અમુક પદાર્થો ભેગા થતાં જેમ ઊભરો આવે છે, એમ શરીરમાં અમુક તત્ત્વો ભેગાં થતાં ચૈતન્યરૂપી ઊભરો આવે છે; દેહ સાથે એ શમે છે, પણ હું કહું છું કે દેહ ને આત્મા જુદા જુદા છે.” “મેં ખાધું', એમાં “મેં' એ આત્મા છે. એ મૃત શરીરમાં નથી. સંસારમાં બે શક્તિઓ કામ કરે છે. જડ અને ચેતન. બંને વચ્ચે વિજાતીય પદાર્થો જેવો સંબંધ છે. અનાદિ કાળથી એ મળેલાં છે, એની પ્રત્યક્ષ ખાતરી તો શી ? દરેક વાતમાં પ્રત્યક્ષ પ્રમાણ આપી શકાતું નથી. ત્યાં અનુમાન પ્રમાણ ઠરે છે. જેમ દૂધ જોઈને એમાં ઘીનું અનુમાન કરીએ છીએ, એમ આમાં છે. શુભ કર્મોથી લિપ્ત ચેતન-એ સારી સ્થિતિ, અશુભ કર્મોથી લિપ્ત સ્થિતિ-એ ખરાબ સ્થિતિ. રાય ને રંકની જેમ.”
વાયુભૂતિની શંકા વાયુની લહેરી સાથે દૂર થઈ ગઈ. એ શિષ્ય બની રહ્યા.
ચોથા પંડિત આર્ય વ્યક્ત આવ્યા. એમને પ્રેમભાવથી અપનાવતાં મહાવીરે કહ્યું :
‘તમને જગત સત્ છે કે અસતુ, એની શંકા છે. એ સત્ પણ છે, અસત્ પણ છે. એમાં કશી શંકા ન ધરીશ. આ પંત ભૂતાત્મક જગત સત્ છે; ને એ ક્ષણભંગુર ને પરિવર્તનશીલ છે, તે દૃષ્ટિએ અસત્ છે.'
પાંચમા પંડિત આર્ય સુધર્મા આવ્યા. તેઓને શંકા હતી, કે બધાં પ્રાણીઓ મરીને પોતાની જ યોનિમાં પેદા થાય- કાગડો કાગડાની યોનિમાં- જેમ ઘંઉ ઘંઉની યોનિમાં.
ભગવાને કહ્યું : “હે મહા આર્ય ! તમારો બહુશ્રુત હાથી ઝીણામાં ઝીણા મર્મમાંથી તો આરપાર નીકળી ગયો, પણ સાવ નજીવી વાતમાં પૂંછડે અટકી ગયો. શું તું એટલુંય જાણતો નથી કે પ્રાણીઓનો પુનર્જન્મ એના કર્મના કારણે થાય છે, શરીરના કારણે નહીં ? ભવપ્રાપ્તિનું કારણ શુભ-અશુભ કર્મ છે. મનુષ્ય દેવ પણ થાય, દાનવ પણ થાય. જેવાં એનાં કર્મ એવી એની ગતિ.”
આર્ય મંડિકને વળી આત્માના બંધ-મોક્ષ વિશે શંકા હતી. એ વિચારતા કે આત્મા સ્ફટિક જેવો છે; એને વળી બંધ-મોક્ષ કેવાં ?
૧૬૮ ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org