________________
૩૪ પૂંછડે અટકેલા હાથી
પોથી પઢી પઢી જગ મૂઆ, પંડિત હુઆ ન કોઈ;
ઢાઈ અક્ષર પ્રેમકા, પઢે સો પંડિત હોઈ. ઇંદ્રભૂતિ ગૌતમે મહાવીરની શરણાગતિ સ્વીકારી, એ સમાચાર યજ્ઞસભામાં પહોંચ્યા. વીંછીના ડંખ વાગે ને માણસ ચમકી ઊઠે એમ, ઇંદ્રભૂતિ ગૌતમના નાના ભાઈ અગ્નિભૂતિ ખડા થઈ ગયા. એમની આંખોમાંથી અગ્નિ ઝરવા લાગ્યો. એ અગનવાણી બોલ્યા :
કદાચ સૂર્ય પશ્ચિમમાં ઊગે એ હું માનું, પણ મારો ભાઈ ઇંદ્રભૂતિ હારે, એ ન માનું. મહાવીર ભારે કરામતી માણસ છે. એની કૂડી કરામતને હમણાં જઈને હું તોડીફોડી નાખું છું. બેએક પળમાં, એ માયાવીની માયા સંહારી, અમે બંને બાંધવો પાછા આવ્યા સમજો.”
અગ્નિભૂતિ નીકળ્યા. તીરના વેગે નીકળ્યા, પણ થોડે જતાં જાણે વાતાવરણ સ્પર્શતું લાગ્યું. પગ ધીરા પડ્યા. મન વિચારે ચઢ્યું. ત્યાં તો ભગવાન મહાવીરની વાણી સંભળાઈ.
| દિવ્ય વાણી, જાણે આત્માની વાણી ! અગ્નિભૂતિને એમ લાગવા માંડ્યું કે આપણે તો આજ સુધી જૂઠી વાણી બોલ્યા. પાણીમાં જ વલોણું ફેરવ્યું ! પછી નવનીત ક્યાંથી મળે? આ કેવી પ્રેમવાણી ! આપણી વિદ્યા-વાણી તો તીર જેવી તીક્ષ્ણ. હરપળે સામાને હણવાની ઇચ્છાથી એનો પ્રયોગ થાય. અને આ કેવી મીઠી, હૃદયને જગાડનારી વાણી !
૧૬૬ % ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org