________________
પંડિતાઈનો ભારતપ્રસિદ્ધ પહાડ આગળ વધ્યો, મહાવીર પાસે આવ્યો, બે હાથ જોડી અંજલિબદ્ધ થઈ બોલ્યો :
नमोत्थु णं अरिहंताणं भगवंताणं ।
आइगराणं तित्थयराणं सयंसंबुद्धाणं । ગીર્વાણગિરાના મહાન હિમાયતીના મુખમાંથી લોકભાષામાં સ્તુતિ નીકળી પડી. ગૌતમ આગળ બોલ્યા :
- “હે જ્ઞાનસાગર પ્રભુ ! મારા હૃદયમાં હવે સંશય રહ્યો નથી. હું આપને વંદું છું – સ્તવું છું. શિષ્ય તરીકે મારો અને મારા પાંચસો શિષ્યોનો સ્વીકાર કરો. સર્વ સંબંધોનો ત્યાગ કરી આપની ચરણસેવા ઇચ્છું છું.”
ઇંદ્રભૂતિ ગૌતમ એ દિવસે વિદ્યા ને યશનો ભારબોજ છાંડી મહાવીરના ચરણકિંકર બની ગયા.
ઇન્દ્રભૂતિ ગૌતમ # ૧૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org