________________
દેવગિરા સિવાય કંઈ ધર્મનો ઉપદેશ થાય ! તત્ત્વની ચર્ચા થાય ! અગમનિગમના ભેદ તે શું શેરીનાં ધૂળ-કાંકરા છે ?
આટલું હોય તો વાંધો નહોતો. એ તો શિષ્ટ સમુદાયમાં અપમાન પામશે, એટલે એની મેળે દેવભાષા બોલતા થશે, પણ એ શ્રમણ મહાવીરે આગળ વધીને કહ્યું કે શાસ્ત્ર સહુ માટે ખુલ્લાં છે ! એમાં વેરોવંચો ન હોય. વાંચે એના વેદ; ભણે એની વિદ્યા ! મીઠા નવાણનું જળ છૂપાવવાનો શો અર્થ ? તરસ્યા ભલે કાંઠે આવીને પીએ. તો શું જે વેદ સ્ત્રી અને શૂદ્રને અશ્રાવ્ય છે, તે અમારે સંભળાવવા ? અધિકારી વગર અમૂલાં રત્ન વહેંચવા માંડવાં ? શાન્તમ્ પાપમ્ ! શાન્તમ્ પાપમ્ !”
આચાર્ય સોમિલ થોડી વાર થોભ્યો ને વળી બોલવા લાગ્યો :
અરે, આટલું કર્યું હોત, તોય ધૂળ નાખી. એણે વેદ પછી યજ્ઞનો પણ વિરોધ કર્યો, યજ્ઞમાં પશુ હોમવાનો વિરોધ કર્યો. એણે કહ્યું કે યજ્ઞ એટલે આત્મપ્રીતિ અર્થે જે કામ કરો તે. દુનિયાનાં તમામ કામ એમાં આવી જાય. એવા યજ્ઞમાં મોહ, ક્રોધ, માયા જેવાં કષાયરૂપી પશુ હોમવાનાં ! આમ, બીજા શબ્દોમાં કહીએ તો, મહાવીરે આ મહાન યજ્ઞોનો જ નિષેધ કર્યો ! અને યજ્ઞ નહિ તો બ્રાહ્મણ નહિ !
“અને બ્રાહ્મણનો વિરોધ કર્યો તો ભલે કર્યો. એક ક્ષત્રિય પાસે એથી વધુ શી આશા રાખી શકાય ? પણ યજ્ઞનો વિરોધ કરી દુનિયાના પુણ્યનો માર્ગ બંધ કરી દીધો. દેવોની પ્રીતિનો નાશ કર્યો ? કેટલા માણસોની રોજી પર લાત મારી !
યજ્ઞનો વિરોધ કર્યો, તો એય ભલે કર્યો. એનાથી શું શેક્યો પાપડ ભાંગવાનો હતો ! પણ દેવ કરતાં માણસને મોટો કહ્યો, અને માણસને જ ઈશ્વર કહ્યો. આત્મા પ્રયત્ન કરે તો પરમ આત્મા-પરમાત્મા થાય, એમ કહ્યું. એટલે દેવ-દેવીની પ્રીતિ કાજે જે સમારંભો થાય છે, તે તેણે નકામા ઠરાવ્યા ! આ રીતે તો દાન-દક્ષિણાનો સર્વથા અભાવ થઈ જાય. બ્રાહ્મણોને ઘેર જ્યાં ધનની ખાણ છે ! યજ્ઞ એ જ એમનું જીવન છે; દાનદક્ષિણા એ જ એમનું ધન છે !
“વળી એણે ધર્મસભાના ચારે આરા-ઓવારા સૌને માટે ખુલ્લા મૂકી દીધા છે. કહે છે, કે દેવ આવે કે માનવ ! પશુ આવે કે પ્રાણી ! પતિત, પીડિત, ઇન્દ્રભૂતિ ગૌતમ % ૧૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org