________________
શોષિત સહુને માટે ધર્મસભાના દરવાજા ખુલ્લા છે. સસ્તી કીર્તિ રળવાનો શ્રમણ મહાવીરનો આ પણ એક પ્રકાર જ છે ને ! નહીં તો જે ધર્મસભામાં અધિકારી જ પ્રવેશ પામી શકે, ત્યાં આવો શંભુમેળો તે હોય ! પણ આ જગતમાં તો કંઈ નવું કર્યા વગર નાયક કેમ થવાય ?'
‘આવી અમળવાણીથી મહાવીરે તો વર્તમાન ધર્મોનાં મૂળ જ ખોદવા માંડ્યાં છે !' સોમિલ વિષે આખી યજ્ઞસભાને પડકાર કરતાં ૧૧ મહાવિદ્વાનો સામે લક્ષ કરીને કહ્યું, ‘આપ જેવા ભારતભૂષણ, વેદવિદ્યાવિશારદ, સકલશાસ્ત્રપારંગત, વાદકલાનિપુણ વિદ્વાનો હાજર હોય, ને આ નાસ્તિકો શું વેદ, યજ્ઞ ને ઈશ્વરનો નકાર ભણશે ? ઊંચ-નીચને એક આરે બેસાડશે ? હે મહાવિદ્વાનો ! નીતિશાસ્ત્રનું વચન છે, કે શત્રુ ને રોગને ઊગતાં દાબવા સારા. આ શ્રમણ મહાવીરની પહેલી ધર્મસભા છે, પહેલો ઉપદેશ છે.’
‘નહીં, નહીં, હરગિજ નહીં બને. એ વાત ન ભૂતો ન ભવિષ્યતિ. હું ઇંદ્રભૂતિ ગૌતમ, પ્રસિદ્ધ વસુભૂતિ ગૌતમનો પુત્ર, સામે પગલે ત્યાં જઈ, શ્રમણ મહાવીરની શેખીને પળવારમાં ધૂળમાં મેળવીશ. એના કરતાં વધુ ચોમાસાં અમે જોયાં છે. એમ સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય !'
પચાસ વર્ષની વયના, સાક્ષાત્ વિઘા અવતારસમા ઇંદ્રભૂતિ ગૌતમ સભામાં એકદમ ખડા થઈ ગયા. ને પોતાના પાંચસો શિષ્યો સાથે મહાસેન વન તરફ જવા એ જ પળે વિદાય થયા. એમનાં પગલાંથી પૃથ્વી ધમધમી રહી.
સંસારની બે મહાન શક્તિઓ આજ સામસામે ટક્કર લેવાની હતી. પળવારમાં ચકમક ઝરી સમજો ! માર્ગમાં અનેક વ્યક્તિઓ ઉપદેશ સાંભળી પાછી આવતી મળી. ઇંદ્રભૂતિ ગૌતમ વારંવાર સહુને રોકીને પૂછવા લાગ્યા ? ‘કેમ, કેવો લાગ્યો એ સર્વજ્ઞ ?'
‘જ્ઞાન અને વાણીમાં સર્વોત્તમ, મુખ પર પ્રસન્નતા તો એની. મધ્યસ્થ દૃષ્ટિ તો તેની. લોકને પ્રીતિ ઉપજાવનારું વચન તો તેનું. વાતો કરે છે સાવ સાદી રીતે, અને સાદી ભાષામાં : પણ અંતરમાં સોંસરવી ઊતરી જાય છે.'
સરસ્વતીના અવતાર ગૌતમના દિલમાં ઊંડો શેરડો પડ્યો, પણ એણે વિચાર્યું :
Jain Education International
For Private & Personal Use Only
૧૬૨ આ ભગવાન મહાવીર
www.jainelibrary.org