________________
33
ઇન્દ્રભૂતિ ગૌતમ
સોમિલ વિપ્રને માથે વજ્રપાત થયો હોત, તોય આટલો ભયંકર ન લાગત. જે યજ્ઞના યશથી એ દિશાઓને ભરી દેવા માગતો હતો, એ યજ્ઞની જ મજા આજ જાણે મારી જતી હતી.
એ પોતાના ગૃહાંગણમાં ફરતો, કદી ડેલીએ ચઢી નીરખતો ને કહેતો કે જમીન ૫૨, ૨થ પર, વિમાન પર ચઢીને કેટકેટલો સમુદાય પોતાના યજ્ઞમાં ભાગ લેવા આવી રહ્યો છે ! પણ એનો એ ગર્વ પળવાર ટક્યો. તેને તરતમાં જ સમાચાર મળ્યા કે એ બધો સમુદાય તો મહાસેન વનમાં જઈ પહોંચ્યો છે - નિગ્રંથ ભગવાન મહાવીર ત્યાં આવ્યા છે.
-
‘શ્રમણ મહાવીર ! અરે ! કાલ સુધી તો એને કોણ જાણતુંય હતું ? વાતમાં વાત – ઇતિહાસમાં ઇતિહાસ – એટલો કે એક રાજકુમાર તેનો – રાજખટપટને લીધે કે ગમે તે કારણે, ગૃહત્યાગ. જંગલમાં જઈને તપ. તપ એ પણ કંઈ નવી નવાઈ નહોતી. વર્ષોથી તપ ને બ્રહ્મના વિષયમાં બ્રાહ્મણોને પાછા પાડવા ક્ષત્રિયો મથી રહ્યા છે. ભારે હરીફાઈ ચાલે છે. દેશ દેશમાં ઠેર ઠેર તપસ્વીઓથી આશ્રમો ભરચક્ક છે. તો પછી એવું તે શું થઈ ગયું કે તપસ્વી મહાવીર પાસે આટલી દોડાદોડ ?
‘આટલું હોય તોય કંઈ નહોતું ! તમાશાને તેડું ન હોય, એ ન્યાયે લોકો કુતૂહલથી ભલે ત્યાં જાય, પણ શ્રમણ મહાવીરે કંઈક મોટાઈ તો જાળવવી હતી ! દેવભાષા સંસ્કૃતને બદલે લોકભાષામાં ધર્મ કહેવા માંડ્યો. પ્રભાવશાળી
૧૬૦ ૨ ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org