________________
‘તમે નીરખ્યું તે જ સત્ય, એવો એકાંત આગ્રહ ન રાખો. સત્ય સાપેક્ષ છે. તમારી નજરનું સત્ય ને તેના ૫૨ની શ્રદ્ધા; બીજાની નજરનું સત્ય ને તેના ૫૨ વિચારણા. જીવનની સર્વ દૃષ્ટિને સમાવતો આ અનેકાંતવાદ ઝઘડાનાં મૂળ કાઢશે.'
વાહ વાહ, શું ઉપદેશ છે ! આખી નગરીમાં ભગવાન મહાવીરના જ્ઞાનભર્યા સ૨ળ ઉપદેશની પ્રશંસા થઈ રહી. ઠેર ઠેર એક જ વાત ! મહાવીર આપણી ભાષામાં બોલે છે. એ સીધીસાદી માનવતાના પક્ષપાતી છે. એ કહે છે : માણસ પોતે જ ઈશ્વર છે. પોતે જ પોતાનું જીવન ઘડી શકે છે. ઈશ્વરની લાચારી કરવાની જરૂર નથી. નિર્ભય બનો. અભય બની સંસારભયને જીતો. સ્વ-કર્મ પર સ્થિર બનો.
આ જ્ઞાનવાતો નવી હતી. વળી એ જનતાની જબાનમાં હતી, જનતાને સમજાય તેવી હતી. એની ચર્ચામાં નાનુંમોટું સહુ ભાગ લઈ શકે તેમ હતું. વચ્ચે કોઈની દખલ ન રહે તેવું હતું !
પોતાની ભાષા પોતાને મળી, એથી જાણે પોતાનું રાજ પોતાને મળ્યા જેટલો આનંદ સર્વને થયો. આજે જનતાને જબાન મળી. હવે કોઈ ઊંઠાં શું ભણાવી શકશે ? અમે જાતે બધું જાણીશું. સમજીશું, ચર્ચા કરીશું, ને પછી આચરીશું.
જનતાને જબાન મળી ઋ ૧૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org