________________
વૈશાખ સુદ ૧૦ની આથમતી સંધ્યા છે. સર્વજ્ઞ ભગવાન મહાવીર વિચાર કરી રહ્યા છે :
૩૨
જનતાને જબાન મળી
‘મારો પહેલો ધર્મોપદેશ, જમેલાને જમણની જેમ, અમરને અમૃતપાનની જેમ નિરર્થક થયો ! મૃત્યુમુખી જગતને મારા ધર્મ સમીરની ને આત્માના અમૃતની જરૂર છે. જલદી વિહાર કરી, અપાપા નગરીએ પહોંચું, ધર્મતીર્થ પ્રવર્તાવું, ત્યાં યજ્ઞ, સભામાં એકત્ર થયેલા મહાબ્રાહ્મણો મારા ધર્મતીર્થના આધારસ્તંભ થશે.’
અપાપા નામની નગરી છે. આચાર્ય સોમિલ નામનો શ્રીમંત બ્રાહ્મણ છે. એણે મહાયજ્ઞ શરૂ કર્યો છે. આ યજ્ઞમાં ભાગ લેવા એ વખતના ભારતવિખ્યાત અગિયાર મહાન વિદ્વાનો આવ્યા છે. એ બુદ્ધિમાં બૃહસ્પતિ છે. વાદમાં એ વાચસ્પતિ છે. ભલભલા વિદ્વાનોનાં એમણે માન મુકાવ્યાં છે. મોટા ચમરબંધી વાદીઓમાં એમણે માર્ગ કર્યો છે. એમનાં નામ પર ફૂલ મુકાય છે. એમને કોઈ જીતી શકે તેમ નથી. સહુની સાથે પાંચસો પાંચસો શિષ્યોનું જૂથ છે. વિદ્યામાં ને વાદમાં એક એક શિષ્ય પણ મહારથી છે !
ભગવાને સરી જતી સંધ્યા સાથે અપાપા નગરી તરફ કદમ બઢાવ્યાં. જંભક ગામથી એ નગરી ૪૮ કોસ દૂર હતી. આખી રાત ચાલ્યા. પ્રભાતી કિરણો સાથે ભગવાન ત્યાં આવી પહોંચ્યા, મહાસેન વનમાં ઊતર્યા.
જનતાને જબાન મળી આ ૧૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org